SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ મુહપત્તીના પચાશ બેલનું રહસ્ય ૧૫૧ છે. એટલે તેણે તલવારના એક જ ઝટકે સુષમાનું મસ્તક ઉડાવી દીધું અને તે મસ્તક હાથમાં લઈને દોડવા માંડયું. ધનસાર્થવાહે જોયું કે જેના માટે પોતે આટલે લાંબો અને આકરો પ્રયાસ કર્યો હતો, તે પુત્રીને આખરે વધ થયે છે, એટલે તેના પગ ઢીલા પડી ગયા અને ચિલાતીપુત્રને તેમના પંજામાંથી છટકવાને લાગ મળી ગયે. ચિલાતીપુત્ર ભાગતા ભાગતે એક ઘેર જ ગલમાં આવી ચડે કે જ્યાં મનુષ્યની વસ્તી ભાગ્યે જ હતી. એક હાથમાં લેહીખરડી તલવાર છે અને બીજા હાથમાં સુષમાનું મસ્તક છે. ભૂખતરસ ઘણુ લાગી છે અને હવે પગની તાકાત પણ ઓસરવા માંડી છે. એવામાં ત્યાં એક મુનિને ઊભેલા જોયા, એટલે તેની નજીક ગયે અને કહેવા લાગે કે “હે મુનિ! મારું કલ્યાણ થાય એવું કંઈક કહો, નહિ તે તમારું મસ્તક ઉડાવી દઈશ.” | મુનિએ કહ્યું, “ઉપશમ, વિવેક, સંવર.” બસ, આટલું કહી તે ચારણલબ્ધિ વડે આકાશમાં ઊડી ગયા. ચિલાતીપુત્ર વિચાર કરવા લાગે કે “મુનિએ આ શું કહ્યું?” આ રીતે ઘણે વિચાર કર્યો, ત્યારે અંતરમાંથી પ્રકાશ લા કે ઉપશમ એટલે ક્રોધને શમાવી મનને શાંત કરવું, એટલે તેણે હાથમાંની તલવાર દૂર ફેંકી દીધી, કારણ કે એ કોષનું નિશાન હતું. પછી બહુ વિચાર કરતાં વિવેકનો અર્થ સમજાવે કે ધન અને સ્વજનને મેહ છોડી દે. એટલે તેણે પિતાના હાથમાં રહેલું સુષમાનું મસ્તક
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy