SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ સામાયિક-વિજ્ઞાન શુદ્ધિ અને વિધિ કિયાના પ્રાણ ગણાય છે. તે સિવાય કેઈ પણ ક્રિયા સફળ થતી નથી, તેથી અહીં સ્થાન, વસ્ત્ર અને ઉપકરણની શુદ્ધિ પર ભાર મૂકાયેલું છે. અહીં અંગ શુદ્ધિને નિર્દેશ નથી, પણ શક્ય એટલી અંગશુદ્ધિ રાખ. - વાથી કિયા સારી રીતે થાય છે. ધાર્મિક ક્રિયા ગુરુની સાક્ષીએ, ગુરુની આજ્ઞાપૂર્વક અને ગુરુને વિનય જાળવીને કરવાની છે, તેથી પ્રત્યક્ષ ગુરુને યોગ ન હોય તે તેમની સ્થાપના કરીને અને તેઓ સાક્ષાત્ બેઠા છે, એમ માનીને બધી ક્રિયા કરવાની છે. સ્થાપનાચાર્ય સંબંધી કેટલુંક વિવરણ પાંચમા પ્રકરણમાં થઈ ગયેલું છે. પછી તેમના પ્રત્યે વિનય–ભક્તિ-બહુમાન દર્શાવવા માટે પંચાંગ–પ્રણિપાત કરવામાં આવે છે. અહીં એટલી સ્પષ્ટતા કરી દઈએ કે સામાયિકનું પહેલું નમસકારસૂત્ર, બીજું પંચિંદિય-સૂત્ર અને ત્રીજુ પ્રણિપાત– સૂત્ર ષડાવશ્યકમાંનાં વંદન આવશ્યકને રજૂ કરે છે. નમઃ સ્કાર-સૂત્ર વડે જે પંચપરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવે છે, તે બધા અપેક્ષાવિશેષથી ગુરુઓ જ છે. અહિં તે જગગુરુ છે અને સિદ્ધ પક્ષ મહાગુરુઓ છે, કારણ કે તેઓ આપણને સિદ્ધાવસ્થા કે મેક્ષાવસ્થાનું સતત ભાન કરાવ્યા પંચિંદિય-સૂત્રમાં ગુરુને સીધી વંદના નથી, પણ
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy