SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ સામાયિક-વિજ્ઞાન પિતાની જાતને છોડી દેવી, એટલે હું અમુક છું, એ વાત ભૂલી જવી. અથસકલના શ્વાસ લેવાથી, શ્વાસ મૂકવાથી, ઉધરસ આવવાથી, છીંક આવવાથી, બગાસું ખાવાથી, ઓડકાર આવવાથી, વાછૂટ થવાથી, ચક્કર આવવાથી, પિત્તને લીધે મૂચ્છ આવવાથી, સૂક્ષ્મ રીતે શરીર ફરકવાથી, સૂકમ રીતે કફસંચાર થવાથી, સૂક્ષ્મ રીતે દૃષ્ટિને સંચાર થવાથી તથા (અગ્નિસ્પર્શ, શરીર છેદન અથવા સંમુખ થત પંચેન્દ્રિયને વધ, ચાર કે રાજાની દખલગીરી અને સર્પદંશ) ઈત્યાદિ કારણે ઉપસ્થિત થવાથી જે કાયવ્યાપાર થાય, તેનાથી મારે કાયેત્સર્ગ ભાંગે નહિ કે વિરાધિત થાય નહિ, એવી સમજ સાથે કાયાને એક સ્થાને પ્રતિબદ્ધ કરીને, વાણને મૌન કરીને તથા મનને ધ્યાનમાં જોડીને મારી પોતાની જાતને ત્યાગ કરું છું. રહસ્ય કાયોત્સર્ગનું સ્વરૂપ સમજવા માટે આ સૂત્ર ઘણું ઉપયોગી છે, તેથી તેને કાયેત્સર્ગસૂત્ર પણ કહેવાય છે. તેમાં કાર્યોત્સર્ગના બાર આગાર સ્પષ્ટ શબ્દોથી અને ચાર આગારે આદિ શબ્દથી બતાવેલા છે, એટલે આ સંજોગોમાં મત્સર્ગ ભાંગ્યું કે વિરાધાયેલે ન ગણાય. કાર્યોત્સર્ગમાં કાયાને સ્થાન પ્રતિબદ્ધ કરવાની હોય છે, એટલે એક જ સ્થાને રાખવાની હોય છે, વાણીને મીનથી સ્થિર કરવાની હોય
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy