SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ સામાયિક-અનેરી ગસાધના આ રીતે સ્થાન પ્રતિબદ્ધતામાં ઊભા, બેસવા તથા સૂવાને અર્થ સમાયેલું છે, એટલે તે આસન શબ્દ કરતાં વધારે વ્યાપક છે. પ્રાચીનકાલમાં આસન શબ્દ કરતાં આ ટાપસ્થાન શબ્દને જ ખાસ ઉપગ થતું, તે અન્નત્થસૂત્રમાં આવતા “કાળે મોળેvi સાથેvi” આદિ શબ્દો પરથી સમજી શકાય એવું છે. જ્યાં વિશેષ કાંટા-કાંકરા ન હોય, હિંસક પશુઓને ભય ન હોય તથા નજીકમાં વિશેષ ઘંઘાટ ન હોય, તેવું સ્થાન ગસાધના માટે વિશેષ પસંદગી પામતું. . ટૂંકમાં જેનેની પ્રાચીન પદ્ધતિનું પ્રથમ અંગ સ્થાન પ્રતિબદ્ધતા હતું અને તેને ખૂબ ચીવટાઈથી અમલ થત. વર્ણગતક્રિયા એટલે વર્ણ કે અક્ષરના આલંબનથી થતી કિયા. વર્ણ કે અક્ષરના સંયેજનથી સૂત્રે નિર્માણ થાય છે. શાસ્ત્રોમાં તેનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે अल्पाक्षरमसन्दिग्धं सारवद्विश्वतोमुखम् । अस्तोभमनवा च सूत्रं सूत्रविदो विदुः॥ જે થોડા અક્ષરવાળું હોય, સંદેહરહિત હય, સારુ ગર્ભિત હોય, સર્વ ભણી મુખવાળું હોય, એટલે કે યથાગ્ય અન્વય થવાની ગ્યતાવાળું હોય, નિરર્થક શબ્દ વિનાનું હોય અને નિર્દોષ હોય, તેને સૂત્રવેત્તાઓ સૂત્ર જાણે છે–કહે છે.”
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy