SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિકનો અર્થ ૨૧ કરે નહિ, એ આપણું મહાપુરુષને આદેશ છે. જે શબ્દના મૂલ સ્વરૂપમાં ફેરફાર કરીએ તો તેને અર્થ જ બદલાઈ જાય અને જ્ઞાનની આશાતના થાય કે જે માટે આપણે પ્રાયશ્ચિત્ત-દંડના અધિકારી ઠરીએ. આમ છતાં આપણે તેના પર પૂરું લક્ષ્ય આપ્યું નથી, એટલે સ્થિતિ આ હદે પહોંચી છે. શબ્દની સાથે તેને અર્થ પણ શીખવું જોઈએ, તો જ જ્ઞાન સાંપડે અને તે આપણા જીવનને ઉજાળી શકે. આપણે જેને અર્થ જાણતા નથી, એવા શબ્દોનું ભંડેળ ભેગું કરવાથી શું ? તે માત્ર બોલી જવાથી કેઈ ઉપયોગી હેતુ સરતો નથી. આપણે ઘણી ખરી પાઠશાલાઓમાં આજે સત્ર કંઠસ્થ કરાવવામાં આવે છે, પણ તેના અર્થો શીખવવામાં આવતા નથી કે સામાન્ય અર્થો શીખવીને જ સંતોષ માનવામાં આવે છે. તેનું પરિણામ એ આવ્યું છે કે આ પાઠશાલાઓમાં ભણેલા બાલક–બાલિકાઓને જૈન ધર્મના સિદ્ધાંતોને કે કિયાઓને સ્પષ્ટ ધ હેતું નથી. આ પરિસ્થિતિનું નિવારણ ક્યારે થશે ? પ્રાકૃત-અર્ધમાગધી ભાષાને “સામારૂચ શબ્દ સંસ્કૃત ભાષામાં “સીમચ શબ્દ બને છે અને તે ગુજરાતી, હિંદી વગેરે ભાષામાં તત્સમ તરીકે ઉતરી આવે છે, એટલે કે તે એ ને એ રહ્યો છે. જેમ નગર પરથી નાગરિક, શરીર પરથી શારીરિક અને ધર્મ પરથી ધાર્મિક શબ્દ બનેલે છે, તેમ સમાય શબ્દ પરથી સામાયિક શબ્દ બનેલું છે. જ્યારે કઈ પણ
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy