SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ સામાયિક-વિજ્ઞાન શ્રેણિકે જોયું કે કાલસૌકરિક એમ માને એવું નથી, એટલે સિપાઈઓને હુકમ કર્યો કે આને અહીંથી લઈ જાઓ અને આવતી કાલ સવાર સુધી કૂવામાં ઊંધા માથે લટકાવી રાખો.” સિપાઈઓએ આજ્ઞાને અમલ કર્યો. ત્યાર પછી તેઓ ભગવાન મહાવીર પાસે ગયા અને જણાવ્યું કે “પ્રભે! આપે બતાવેલા ચાર ઉપાયોમાંથી ત્રણ ઉપાયે નિષ્ફલ નીવડ્યા છે, પણ એથે ઉપાય સફલ થયે છે.” ભગવાને કહ્યું : “હે શ્રેણિક ! તારે ચોથો ઉપાય પણ નિષ્ફલ નીવડે છે. કાલસૌકરિકને તે ઊંધા માથે કુવામાં લટકાવ્યું હતું, પણ ત્યાં એના હાથ પાણીમાં પહોંચતા હતા, એટલે પાણીમાં લીંટા કરીને તેણે પ૦૦ પાડા કપ્યા હતા અને તેને મનથી વધ કરીને સંતોષ માન્ય હતે. મનથી પાડાનો વધ કર્યો, એ પણ વધ જ કહેવાય.” પછી શું બન્યું? તે કહેવાની જરૂર નથી. આ કથામાંથી આપણે તે પૂણિયા શ્રાવકને પ્રસંગ યાદ રાખવાને છે. તે સામાયિકને બહુ ઊંચે આદર્શ પૂરા પાડે છે. સામાયિક આવું મહિમાશાલી હેવાથી જ દે પણ તેની ઈચ્છા કરે છે. તે અંગે શામાં કહેવાયું છે કે सामाइयसामग्गि, देवा चिंतंति हिययमज्झम्मि । जह होइ मुत्तमेग, ता अम्ह देवत्तणं सुलहं ॥ દેવે પણ હૃદયમાં એવું ચિતવે છે કે જે સામા
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy