SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિકનો મહિમા આ સામાયિક ઘણા શુદ્ધ મને કરતા. તેમાં મનવચન-કાયાને કોઈ દોષ લાગવા દેતા નહિ. કદાચ અજાણે દોષ લાગી જાય તે તરત પ્રાયશ્ચિત્ત કરી લેતા, આથી તેનુ' સામાયિક વખણાયુ' અને ભગવાન મહાવીરે પણ તેની પ્રશંસા કરી. હવે શ્રેણિક રાજાએ જાણ્યું કે પેાતાની ગતિ નરકની છે, એટલે કે મૃત્યુ ખાદ્ય નરકમાં ઉત્પન્ન થવુ' પડશે અને ત્યાંની અકથ્ય વેદનાએ અનુભવવી પડશે, એટલે તેમણે ભગવાન મહાવીરને કહ્યું: · પ્રભા ! મારા માથે આપના જેવા ગુરુ છતાં મારી નરકની ગતિ થાય, એ ઉચિત નથી; માટે કોઈ એવા ઉપાય બતાવા કે જેથી મારી નર્કગતિનું નિવારણ થાય.’ : ભગવાને કહ્યું: હું શ્રેણિક ! જો એના ઉપાય જ જાણવા હાય તા એક નહિ, ચાર ઉપાયા અતાવુ છુ. તેમાંના કોઈ પણ એક ઉપાય કરીશ, તે તારી નરકંતિનું નિવારણ થશે. પહેલા ઉપાય એ છે કે તારે પૂણિયા શ્રાવકની એક સામાયિકનું ફૂલ મેળવવુ'. બીજો ઉપાય એ છે કે તારી કપિલા નામની દાસીએ દાન દેવું. ત્રીજો ઉપાય એ છે કે તારે આવતી પતિથિએ એકાસણું કરવું અને ચેાથેા ઉપાય એ છે કે તારા નગરમાં કાલસૌરિક નામના કસાઈ રાજ ૫૦૦ પાડાના વધ કરે છે, તેણે એ કાર્ય એક દિવસ માટે અંધ રાખવુ’
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy