SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ચેલણનું હરણ લઈને કહ્યું કે, “આપના મહેલના પાછળના ભાગમાં જે બગીચે છે, ત્યાંથી વૈશાલીની હદની બહાર સુધી ભોંયરૂ દવામાં આવ્યું છે. આંબાના થડમાંથી અંદર જવાનું છે. બરાબર રાત્રીના કે દિવસના એક પ્રહાર વીત્યે ભોંયરામાં પ્રવેશ. મહારાજા બિંબિસાર પિતાના રથમાં આપની રાહ જોતા ઊભા હશે. ત્રીસ દિવસમાં તે અભયકુમારે ઘણું મોટું કામ કરી નાખ્યું હતું. મગધની હદમથિી તે સુચેષ્ટાના મહેલ સુધી એક રથ સહેલાઈથી જઈ શકે તેવું ભેજું દાવ્યું હતું. મહારાજાને સંદેશ મોકલીને નકકી કરેલા દિવસે બેલાવી લીધા હતા. મહારાજાના રક્ષક તરીકે નાગ સારથિ બત્રીસ પુત્રો સાથે ગયા હતા. સુભેછાને સમાચાર આપીને મંત્રીરાજ તરતજ વૈશાલી છોડીને મગધ તરફ રવાના થઈ ગયા હતા. નકકી કરેલા સમયે સુકા અને ચલણ ભેયરામાં ઊતરી. નજીકમાં જ મહારાજાને રથ ઊભે હતો. અચાનક સુકાને કંઈક યાદ આવતાં તેણે ચેલણને કહ્યું, “ચલણું, તું જઈને રથમાં બેસ, હું હમણાજ આવું છું?” કેમ?” ચેલણએ પ્રશ્ન કર્યો. હું મારા અલંકારોને ડબો ભૂલી ગઈ છું, તે લઈ આવું; અને તે તરત જ પાછી ફરી. ચેલણ કંઈક કહેવા જતી હતી, પણ સુપેછા સાંભળવા થોભી નહી. ચેલણ રથમાં જઈને બેઠી. અચાનક કંઈક કેલાહલ થયો. સારથિએ કહ્યું કે “મહારાજ, વિશાલી પતિને ખબર પડી ગઈ હોય એમ લાગે છે. આપણે અહીંથી છટકવું જોઈએ.” મહારાજાને તો ખબર નહોતી કે રયમાં કાણ બેઠું છે. તેમણે: માન્યું કે સુણી આવી ગઈ છે. ચેલણાને તે તેમને ખ્યાલ પણ , કયાંથી હોય ? તેમણે તે હંકારી મૂકવા ની સારથિને અજ્ઞા કરી.
SR No.022892
Book TitleKayvanna Shethnu Saubhagya
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSanskruti Rakshak Sastu Sahitya Karyalay
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy