SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ચેલણાનું હરણ ૪૦ પિતાની શ્રીમંતાઈ તેની ગરીબાઇનો નાશ કરવાને પાછી પડે તેમ નથી અને આવા શ્રેષ્ટિવર્ય જેના ભક્ત છે. તે ગરીબ ન જ હોઈ શકે. સાધારણ–સામાન્ય માનવી પણ ન હોઈ શકે. તેણે નિણય કરી લીધું કે, આ માનવી જીવંત હય, તો આની સાથે જ લગ્ન કરવું. જે સ્વર્ગવાસી હોય તો આજીવન અવિવાહિતા રહેવું. તેણે દાસી દ્વારા શ્રેષ્ઠ અત્તરાની ખરીદીના બહાને, અત્તરના વહેપારીને આમંત્રણ મોકલ્યું. શ્રેષ્ઠિ તો આ સમયની રાહ જોઈને જ બેઠા હતા. દાસી દ્વારા મા વેલા આમંત્રણને તેમણે સ્વીકાર કર્યો. બે દિવસ પહેલાં તેમના ત્રણેક માણસો પણ આવી ગયા હતા. પહેલા જોડીદારની પાસે સારા સારા અત્તરોથી ભરેલી એક નાની પેટી ઉપડાવીને તે દાસી ની સાથે રાજમહેલમાં ગયા. તદન શુભ્ર વસ્ત્રોમાં શોભતા નવજુવાન વહેપારીને જોતાં જ સુજ્યેષ્ઠા વિસ્મય પામી, જરૂર, આ વહેપારી ન હેય." તેણે મનમાં કલ્પી લીધું. યેગ્ય આવકાર આપતાં તે બોલી, “પધારો એષ્ઠિવ ! કેઇપણ જાતને ઉતર ન આપતાં ફકત નમન કરીને શ્રેષ્ઠિસુકાવાળા ખંડમાં પ્રવેશ્યા. “આ આસન પર બીરાજો. સુજયેષ્ઠાએ હાથવડે એક સુંદર આસન બતાવતાં કહ્યું. શ્રેષ્ઠિવ આસન પર બેઠા. તેમની બાજુમાં અત્તરની પેટી મૂકીને તેમને જેડીદાર બહાર જઈને ઊભો. કઈ સુંદર અત્તર બતાવશે? સુચેષ્ઠા બોલી. શા માટે નહિ? કહીને વહેપારીએ પોતાની નાની પેટી ખોલો. પછી તો તેમણે કેટલીએ જાતનાં અત્તર બતાવ્યાં, ને સુષ્ઠાએ તેમાંના કેટલાંક પસંદેય કર્યા.
SR No.022892
Book TitleKayvanna Shethnu Saubhagya
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSanskruti Rakshak Sastu Sahitya Karyalay
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy