SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ૧૨ મે ચાડે છે. જ્યારે એક પત્રકાર પાછલું એક ઉદાહરણ આપી પેઢીવાળા પિતાનું ધાર્યું કરશે, એ ચેખો ભય બતાવે છે. આમ અનેક પ્રકારના સુર સંભળાય છે. બધા સુરોની મતલબ શી છે, એ સ્પષ્ટ છે. મુનિસંમેલનના કાર્યમાં આનો કંઈ પણ ગર્ભિત ‘હેતુ રખાયો હોય તો એ ખરેખર ભયંકર જ કહેવાય, પરંતુ આપણે પહેલેથી આવી આશંકાઓ ઉઠાવીને મુનિસંમેલનનું કાર્ય નિષ્ફળ થવાને ૫ ભય ન રાખ. મારું તો નમ્ર નિવેદન છે કે પ્રત્યેક ગામના સ એ કોઈપણ જાતના મતભેદોને આ વખતે આગળ ન કરતાં, સાધુસંસ્થાના ઉદ્ધારને માટે જરૂર હાથથી હાથ મેળવવો અને એક બીજાના સહકાર પૂર્વક કાને સફળ બનાવવા પ્રયત્ન કરો. બીજી તરફથી પ્રત્યેક આચાર્ય અને મુનિરાજોને પણ સવિનય પ્રાર્થના કરીશ કે આ પ્રસંગે કોઈ પણ જાતના આપણી વૈમનસ્યોને આગળ ન લાવતાં, સાધુસંસ્થા ઉપરના સાચા પ્રેમથી એકત્રિત થવું જોઈએ. કોઈ પણ કારણને આગળ કરી મુનિસંમેલનમાં ઉપસ્થિત ન થવું એ છવાયેગ્ય ન કહી શકાય. બેશક જેને જે જે બાબતે કરવાની હોય, તેમણે તે તે વસ્તુઓ જરૂર ઉપસ્થિત કરવી. થાય તે થવા દેવું એને આ જમાને નથી. આ સત્તાવાદને જમાનો નથી. જે કોઈને એમ લાગે કે અહી તો શેતરંજની રમત રમાઈ રહી છે, અહીં તે રેવડીવાળાનો ભાઈ ભંડેરીવાળો, જેવું થઈ રહ્યું છે, અહીં તો પિતાની સત્તા આખી સાધુ સંસ્થા ઉપર જમાવવાના જ પ્રયત્નો થઈ રહ્યા છે, તે તત્કાળ વિરોધ જાહેર કરો, અને તેમ છતાં પણ હાજીયાઓના ટોળામાં
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy