SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ માંદગીને બિછાને ૩૧૩ વળી વળગાડ કેવો ? આપણી અજ્ઞાનતાનું આ પ્રદર્શન ન હોય તે શું છે ? સત્યને પારખતાં માનવજાત કયારે શીખશે? જે એ પરખ આવડી. જાય તે માનવીને સ્વર્ગ એની પાસે જ જણાય. મુનિરાજ જગતની અજ્ઞાનતા ઉપર હસતા. એમને લાગતું કે જગતમાં ઘણી અજ્ઞાનતા છે અને એ અજ્ઞાનતાને કારણે ડેમના વંટો ળયા વાઈ રહ્યા છે. જાણે જગત ઉપર મેલના થર જામી ગયા છે. સાચા જ્ઞાન રૂપી નીર સિવાય એ વેવાય એમ નથી. ખૂબી તો એ હતી કે દાક્તરે ને વૈદ્યો પણ ભિન્ન ભિન્ન મત આપતા. એક દાક્તર કહેઃ “ઇંજેકશન આપો.' બીજો દાકતર અભિપ્રાય આપતોઃ “ઈજેકશનથી તે તે બા. એક રોગને દબાવતાં એ અનેક રોગ ઉપસ્થિત કરે છે.” કોઈ દેશી વૈદ્ય સલાહ આપતાઃ “મહારાજ ! બાપજી ! મોતીની ભસ્મ ખાવ.' બીજે વૈદ્ય કતાઃ “ના! ગુરૂદેવ ચંદ્રોદય લે તો આરામ થશે!' વળી કે દાકતર કહે : “આપનું હૃદય નબળું પડ્યું છે માટે વિટામીનની ગોળીનો ઉપયોગ કરો.' કઈ કહેઃ “ આપ ખીચડી ખાવ.' કોઈ ફળ ખાવા કહેતું તો કોઈ એકલું દૂધ લેવા જણાવતું. તો કેઈ ઉપવાસ માટે જણાવવું. કોઈ કહે
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy