SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ ખંડ ૮ મો કુટુંબોએ આ પ્રસંગે મુનિરાજના ધર્મધને ઘણો લાભ લઈ સારી સેવા બજાવી હતી. . તે ઉપરાંત કરાચીના નાગરિક હીરાલાલ ગણાત્રા પણ આજ કોલોનીમાં રહેતા હતા. તેમણે પણ સારો ભકિતભાવ દર્શાવ્યો હતો. બીજું ચોમાસું પૂર્ણ થયા બાદ મુનિરાજ વિદ્યાવિજ્યજી બિમાર પડી ગયા. દાક્તરે એમને ગુજરાતનગરમાં રહેવાની સલાહ આપી. દાકતરની સલાહ પ્રમાણે તેમણે ગુજરાતનગરમાં એક પંજાબીના બંગલામાં નિવાસ કર્યો. ત્યાઆદ તા. ૧૬મી જાન્યુઆરી ૧૯૩૯થી કરાચીના એક જાણીતા વ્યાપારી શેઠ રાધાકિશન પારૂમલ એમને ખૂબ આગ્રહ કરી અપર સિંધ કેલેનમાં પોતાને બંગલે લઈ ગયા. - શેઠ રાધાકિશનને મુનિરાજ પ્રત્યેનો ભક્તિભાવ અનન્ય હતે. તેમનું આખું કુટુંબ નિરાભિમાની અને શ્રધ્ધાળું ઑઈ પાંચ માસ સુધી મુનિરાજનો નિવાસ એમને ત્યાં જ રહ્યો. રાષ્ટ્રભાવનાવાળા શુદ્ધ ખાદીધારી આ કુટુંબની ધર્મભાવના પણ અજબ હતી. આ કેલેનમાં પણ ધીમે ધીમે અહિંસા પ્રચાર શરૂ કરવામાં આવ્યો અને એને અંગે ઘણા ભાઈબહેને માંસાહાર છેડતા થઈ ગયા.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy