SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ કરાચીના નિર્ણય --- ------ -- - - -- - જશે. અને તેથી એ વિકટ ભૂમિમાં જવાનું માંડી વળાશે. પણ એ ધારણા સાચી ન પડી. કરાચીના સંઘની આતુરતા અજબ હતી. જ્યારે ભાવનાની ભક્તિ જાગે છે ત્યારે એનાં અજબ પૂર ચડે છે. એમને મન મુનિરાજેનાં દર્શન-પ્રવચનનાં મૂલ્ય અમૂલ્ય હતાં. આ સંધ એ ધન્ય ઘડી માટે આતુર હતો. જેમાં ચાતક મેઘની રાહ જુએ એમ એ ગુરૂદેવના આગમનની પ્રતીક્ષા કરી રહ્યા હતા. પચીસ પચાસ કે સો વરસ પહેલાં હાથમાં દેરી ભેટે લઈ સિંધના પાટનગરમાં આવેલા જૈનો આજે બે પૈસે સુખી હતા. ત્યાં સારું મંદિર, ઉપાશ્રય, ધર્મશાળા, વાડીઓ વગેરે સાધનોની પૂર્ણતા હતી છતાં આશ્રમોની અપૂર્ણતા તો એ હતી કે હજુ સુધી જૈન સાધુઓનાં દર્શન ન થતાં. આથી કરાચીના જેને એવા મુનિપ્રવરનાં આગમનની ઝંખના કરી રહ્યા હતા.' અને મારું વીતતાં જ પાછી એમની ઉઘરાણું શરૂ થઈ. એકાદ સાધુની સાથે સિંધ જેવા લાંબા અને વિકરાળ પ્રદેશમાં જવા વિદ્યાવિજયજી ચાહતા નહેતા અને સાથેના મુનિરાજોને ઘણું સમજાવતાં તેઓ હિંમત કરતા નહોતા. પરિણામે એમના મંડળે એવો નિશ્ચય કર્યો કે હવે કરાચી જવા માટેની અશકયતા પ્રતિનિધિમંડળ આગળ રજૂ કરવી. તારીખ ચોથી જાન્યુઆરીને એ દિવસ હતો. રાતના ઓળા મુ. ૧૫
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy