SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડી છેવટે ચાતુર્માંસ પૂર્ણ થયે, જીલ્લાના અધિકારીઓ, ગામના નારિકા અને ખુદ ગ્વાલીયરનાં મહારાણી સાહેબને પણ વિદ્યાવિજયજીને શિવપુરીમાં ખાસ કરીને સંસ્થામાં જ રહેવા માટે આગ્રહ હોવા છતાં, પેાતાના સિધ્ધાન્તના રક્ષણની ખાતર સાપ કાંચળી છાડે એમ એમણે સસ્થા છેડી વિહાર કર્યાં. ૧૯૨ એક માતાને પેાતાના લાલનપાલન કરી ઉછેરેલા સંતાનને છેડીને જતાં દુ:ખ થાય એ સ્વાભાવિક છે કારણ કે એની પાસે માનું હૃદય છે મુનિરાજ પણ પેાતાને હાથે સર્જે લી-પાંગરાવેલી- આવી અબ્બેડ સંસ્થાને છેાડીને જઈ રહ્યા હતા છતાં એમના હૈયામાં જરાયે વિષાદ ન હતા-દુ:ખ ન હતું. એમના અંતરમાં, પોતાના ગુરૂની આજ્ઞાપાલન કર્યાના સંતાષ હતા. પેાતાના કર્તવ્ય માટે આનંદ હતા. પેાતાની સ શક્તિએ એમણે એ સંસ્થાના વિકાસમાં ખરચી હતી-પેાતાનુ જીવન સર્વસ્વ હેામ્યું હતું. એ બધાંને છેાડીને એમને જવાનું હતું છતાં એમને મન આવી મહાન સંસ્થા કરતાં પેાતાના સિદ્ધાંતનાં મૂલ્ય વધારે હતાં. અને સ્વમાનશીલ પ્રત્યેક પુરૂષનાં હૈયામાં એ વાત તેા હેવી જ ોઇએ. એમાં જ એનુ` પૌરૂષ છે. જીવનની સિદ્ઘિ રાગમાં નથી ત્યાગમાં છે. એમણે પલક વારમાં માત્ર સિદ્ધાંતને ખાતર સંસ્થાને યાગ કર્યો. અને આવા સમથ પુરૂષ પાતાની મેળે જ ચાલ્યા જાય—એને કાઢવા માટે કાઇ પણ જાતની ખટપટ ન કરવી પડે એ તા ભાવતુ”તું તે વૈધે કહ્યા જેવી વાત થઈ. નિશ્ચય હતા, અને આખરે તેજ થયું થેાડાં વર્ષો પછી શ્રી વિજયેન્દ્રસૂરિજી અને વિદ્યાવિજયજી એક થયાં. ત્રેલાં પાણી સધાયાં અને આજે તે બન્ને સતા પાછા પહેલાંની માફક જ પેાતાનાં મૂળસ્થાને-શિવપુરીમાં ભેગા રહી સાહિત્ય અને સસ્થાનુ` કા` કરી રહ્યા છે.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy