SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ખંડ ૪ થા સમયે છંછેડાઇ જાય છે. આ ચર્ચામાં શ્રી. વિદ્યાવિજયજીએ, શ્રો. વિજયધમ સૂરિજીના એક કેપ્ટન તરીકે ખૂબ ભાગ લીધેા. એમના લેખો અને આ સંબંધીનાં જાહેર વ્યાખ્યાતાની દલીલને રદિયા કોઇ આપી શકતું નહિ. ખુદ વિરોધ પક્ષના આગેવાન સાગરાનંદસૂરિજી ઇંદેરમાં આવ્યા ત્યારે શ્રી. વિજયધમ સૂરિજી ઇંદોરમાં જ હતા. શ્રી. વિદ્યાવિજયજીએ અનેક ચીઠ્ઠી લખી ચર્ચા માટે પડકાર કર્યાં, પણ સાગરાન દસૂરિજીએ ન માન્યું તે ન જ માન્યું. 6 પચીસ ત્રીસ વર્ષોંમાં તે આખો જમાવે પલટાઇ ગયા છે. જે માલીએની ઉપજ સાધારણ ખાતામાં લઈ જવાની સૂચના વિજયધસૂરિજીના પક્ષ કરતા હતા, તે પ્રમાણે સેંકડા ગામામાં લઇ જવા લાગ્યું છે. એક મંદિરનું દ્રવ્ય, ખીજા પડતા મંદિરને બચાવવા માટે આપવામાં ટ્રસ્ટીઓને જીવ નહોતા ચાલતા, તે હવે જીર્ણોધ્ધારમાં છૂટથી આપવા લાગ્યા છે, એટલું જ નહિ, મંદિરના દ્રવ્યથી સસ્તા ભાડાની ચાલીએ કેમ બનાવાય ? કારણ કે એ તે દેવદ્રવ્ય ગૃહસ્થાના ભાગેામાં આવ્યાનું પાપ લાગે. ’ એમ કહેનારાએ લાખોના ખરચે સસ્તા ભાડાની ચાલીએ બનાવવા લાગ્યા છે, અને એમાં ખુદ ને ખુશી થઇને વસવાટ કરે છે. તેમાં યે હવે તે સરકાર પાતે, દેવદ્રવ્યના વહિવટમાં હસ્તક્ષેપ કરવા તત્પર. થઈ છે, એટલે સભવ છે કે જૈનસમાજની આંખો વિશેષ કરીને ઊઘડશે, સમય સમયનું કામ કરે જાય છે. મહુવામાં ગુરૂદેવ શ્રી. વિજયધમ સૂરિજીની આજ્ઞાથી જૈન માલ આશ્રમની સ્થાપનામાં પણ વિદ્યાવિજયે ભારે પરિશ્રમ ઊઠાવ્યા હતા.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy