SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રામ ૧૩૭ ગામેગામ જાહેર પ્રવચનેા યેાજાય છે અને હજારાની માનવમેદની એ લાભ લેવા ઉમટે છે. જોધપુરમાં મળેલા સાહિત્ય સમેલનની વાતે ગુજરાત સુધી પહોંચી ગઇ હતી. આજીનાં જૈન મદિરામાં જોડા પહેરીને અંગ્રેજોનુ જવાનું બંધ કરવાનું કા ખૂબ સહેલાઇથી શ્રી.વિજયધ`સૂરિ મહારાજે કરી બતાવ્યું હતું. આ બધી કીર્તિને પ્રકાશ સર્વત્ર ફેલાઈ ગયા હતા. કેટલાક સત્તાવાદી સાધુઓની સત્તાના પાયા શ્રી.વિજયધ સુરિ મહારાજની મંડળીના ગુજરાત–પ્રવેશથી ડગમગી ઊઠશે એવે। ભય પણ કેટલાક દ્વેષી સાધુઓના મનમાં જાગ્યા. અને મે પક્ષો પડી ગયા-જાણે સામસામા સંગ્રામ ખેલવા માટે ન સજ્જ થયા હોય ? અને એને વેગ આપવા માટે એ જૈન વર્તમાનપત્રો કટિબધ્ધ થયા–જૈન એડવેાકેટ ’ અને ‘ જૈન શાસન ’ અને કલમને સંગ્રામ શરૂ થયા. ગુરૂદેવ કાઇ કાઇ વખત પેાતાની મ`ડળીને પ્રમેાધતા હતાઃ 4 સાધુએ ! શાંત બેસી રહે. તમારી કાઇ ઇર્ષ્યા કરે, નિંદા કરે પણ તમે તે તરફ જરા ચે ધ્યાન આપશે નહિ. તમે તમારૂં કર્તવ્ય કરે જાવ. સમય આવવા દે. એ એનું કામ કરશે. પાપી વાવેન યતે। પાપને-દંભને ઘડે। જ્યારે ફૂઢશે ત્યારે જ જગતને જાણ થશે કે સાચું કાણ અને હું ક્રાણુ ? ' અને મૃત્યુ પણ તેમજ. કેટલાક સમય બાદ દ્વેષી સાધુએના પાપને ઘડો ફૂટતાં જગતને સત્ય જાણવા મળ્યું, સત્યના સદા વિજય છે.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy