SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ અારાધના આપના કોઈ વિદ્યાવિજયજી નામના શિષ્ય છે ને?' ગુરૂદેવે જવાબ આપ્યોઃ “હા ! એ તમારી સામે જ ઊભા છે.' શાંતિવિજ્યજીએ વિદ્યાવિજ્યજીને ઉદેશીને કહ્યું: “જુઓ ભાઈ! તમે હજુ ઊગતા જુવાન છે. નવા લેખક છો. તમારા પાછળના બેએક લેખોના જવાબ લખીને મેં તૈયાર રાખ્યા છે. પરંતુ આપણે સાધુઓ જ આપસ આપસમ આ રીતે ચર્ચામાં ઉતરીએ તો ગૃહસ્થ ઉપર આની શી અસર થશે ? તેથી મારા લેખો મેં છાપવા નથી મોકલ્યા.” આ સાંભળી વિદ્યાવિજ્યજીએ કહ્યું: “આપ કાલે, છાપવા મેકલવાના હોય, તો આજે જ મોકલો. અથવા તો મને આપે તો હું છાપવા મોકલી આપું. આ જાતની ચર્ચાઓમાંથી સમાજને ઘણું ઘણું જાણવાનું-શીખવાનું મળશે. અને એ જવાબ સાંભળી શાંતિવિજ્યજી ચૂપ રહ્યા અને ત્યાંથી તેઓ છુટા પડ્યા. વિદ્યાવિજયજીએ “જૈન-શાસન' પત્રમાં લેખ લખવાની શરૂઆત કરી હતી. તે ઉપરાંત “સરસ્વતીઅને “માધુરી' નામના હિંદી સાહિત્યના ઊંચી કક્ષાના માસિકમાં પ્રસિદ્ધિનો પ્રકાશ જોતી કવિતાઓનો ગુજરાતીમાં અનુવાદ કરીને તેઓ છપાવતા. વિદ્યાઘર' કે વિદ્યાવિજ્ય’ આ નામથી એમની મૌલિક અને અનુવાદિત ઘણી કવિતાઓ એ સમયમાં પ્રગટ થઈ હતી. પવું પણ વિચાર ' એ વિદ્યાવિજયજીને પુસ્તિકા સ્વરૂપે છપાયો સર્વ પ્રથમ લેખ. આજ અરસામાં “વિજયધર્મસરિ ચરિત્ર' નામની
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy