SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ - ક્યારનું ઉદાસીન બનેલ છે. મુનિઓએ સમજાવેલ ત્યાગમય સંયમ લેવાનું મારું ભાગ્ય નથી, પણ મને સંસારને કેાઈ મોહ નથી. ફાટેલા ખીસ્સામાંથી પૈસા સરી જાય તેવી રીતે મારા મનમાંથી ક્યારનોય સંસારનો મેહ સરકી ગયે છે. બસ... આ પુત્રને તમારા હાથમાં લેવું એ એક કાર્ય બાકી હતું. આજે તમારી થાપણ તમને સેંપી છે. તમારે રાજવંશ તમે ચલાવે. મને પ્રભુને ધર્મવંશ ચલાવવા દે. મહારાજા શાંતનુ ડઘાઈ જાય છે. પુત્ર મિલન.... ! પત્ની પુનર્મિલન... કે પત્નીને સદા વિરહ....આ કેવી ક્ષણ છે. સુખ ભરી કે દુઃખ ભરી? એ તે મહારાજા શાંતનુ જ જાણે છે. ગંગાને નિર્ણય અફર છે ! અફર જ રહેશે ! ગંગાના મુખ પર તરતી વૈરાગ્ય રેખાથી શાંતનુ ચકિત થઈ જાય છે. પત્નીના મુખ પર એક સાથ્વી જેવી વૈરાગ્ય રેખા અવલોકતા મહારાજા શાંતનુ પત્નીને હાથ જોડી બેસે છે. પણ.... પેલા પુત્ર ગાંગેય... આ અજાણ્યા પિતા પાસે કેવી રીતે જાય? આ ગાંગેય આવી મસ્ત અને માયાળુ માતાને ક્ષણવારમાં ત્યજવાને નિર્ણય કેવી રીતે કરે ? ક્ષત્રિઓની આજ શૂરવીરતા છે...... આપણે મન નિર્ણય કરવો સહેલો છે. પાળવો કઠણ છે. શ્રા સાત્ત્વિકને નિર્ણય કરે કઠણ છે. કર્યા બાદ ગમે તેટલી મુસીબત હોય છતાંય પાળવો તેને સહેલો લાગે છે. ગાંગેયને માતાએ ખૂબ સમજાવ્ય માતાએ કહ્યું“બેટા ! દીકરા... તારા જે પુત્ર તે પિતા જેડે જશાભશે.
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy