SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૩ જે દિગવિજય માટે જવાના હેત યુધિષ્ઠિર પોતે જાત તે કદાચિત ઓછી ચકાસણી કરત પણ પિતાના વ્હાલા ભાઈએ ચારેય દિશામાં યુદ્ધ માટે જઈ રહ્યા હતા. માટે યુધિષ્ઠિર ઝીણી ઝીણી ચકાસણી કરતા હતા. પ્રત્યેકના પાયદળે, સેનાધિપતિઓ, હાથી-ઘોડાની તે શું પણ રથના દરેક ભાગેની પણ મહારાજા યુધિષ્ઠિરે ચેકસાઈ કરાવડાવી હતી. ચારેય ભાઈઓને માર્ગની તર્મામ વાતે સમાવી. કયા કયા ક્રમે રાજ્ય જીતવા તે અંગેના ઘૂહની પણ ઝીણવટ ભરી ચર્ચા કરી હતી. છતાંય મહારાજા યુધિષ્ઠિરની શિખામણ એ જ હતી, હાલા બંધુઓ ! રાજ્ય લિસા છે, એટલે સામ્રાજયના માલિક બનવાનું છે. છતાંય ધ્યાન રાખજે. આપણા સિન્ય કરતાં આપણું પુણ્ય મેટો ભાગ ભજવશે, સૈન્ય કરતાં આપણે સ૬ વ્યવહાર સારો માર્ગ કરશે. સહુ રાજાઓને બને ત્યાં સુધી સામ ઉપાયથી આધીન કરજો દિગવિજય આપણા કેટલાય પૂર્વજો એ કર્યો છે. પણ પ્રત્યેક મહારાજાઓએ “સામબળ પર જોર વધારે આપ્યું છે. સામથી–સમજાવટથી જ રાજ્ય ચાલે છે. તેવું નથી; પણ આ સામ ઉપાયને સાચો ઉપગ કર્યા વિના દામ ઉપાય અને દંડ ઉપાયમાં જવું એ પણ અણ આવડત છે. મારા બંધુઓ ક્ષત્રિયો માત્રને પ્રાણની પરવાહ નથી પણ આપણે ક્ષત્રિય હોવા સાથે જૈન છીએ. જીવને થયેલ એક નાનાશા પ્રાણુનું નુકશાન પ્રાણુના થયેલા વિયોગને પુનઃ સંયોગ જગતની જબરજસ્ત શક્તિ પણ કરાવી શકતી નથી, તે શા માટે નિરર્થક પ્રાણને વિયેગ કરે?
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy