SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ '' ' . ' ' ': * અને મને સુખી કર. વિદ્યાધરની વાત સાંભળીને અશ્રુ વહાવતી પ્રભાવતી ખૂબજ ગુસ્સે થઈ કેપ કરી બોલી. “કેણ મરી ગયું હશે કે મરશે તેની મને ખબર નથી પણ દુષ્ટ ! એ મારા સ્વામીદેવ તારે પત્તો લગાવ્યા વિના નહીં રહે. અને તને નરાધમને શોધી કાઢશે. પછી તારી શી દશા થશે તે મને પણ ખબર નથી. તેમના પ્રબળ પરાક્રમ પાસે તું વિદ્યાધર હોવા છતાંય વામણે છે. આ ચોર ! તારામાં સામર્થ્ય હતું તો શા માટે મને ચોરી કરીને લાવ્યા? યુદ્ધ કરવાને કેમ તૈયાર ન થયે? હું પણ મારા સ્વામી સાથે સૂતેલી હતી એવા વખતે મારું હરણ કરીને હવે તારી યશ ગાથાઓ ગાતા તને શરમ નથી આવતી ? હું મૃત્યુને આધીન થઈશ પણ મારા શીલથી કદી ચલિત નહીં થઉં. એ વિદ્યાધમ ! તને વિદ્યાધર કહેવો એ વિદ્યાનું અપમાન છે. જા મારી દષ્ટિથી દૂર થા નહીં તે બળીને ભસ્મ થઈ જઈશ.” અને ત્યાં જ અને પ્રભાવતીને મહાસતી જાણીને પિતાની હાજરી પ્રગટ કરી મેઘનાદને પડકાર કરીને કહ્યું કયાં તો આ પ્રભાવતીને મને આધીન કર નહી તે યુદ્ધ કરવા તૈયાર થા.” સ્ત્રીલંપટ મેઘનાદ પ્રભાવતીને એમ શાને છેડે? તે તે ગજી ઉઠશે. “અરે! એય ! બહુ લકા ! હું પ્રભાવતીનું હરણ કરીને લાવ્યો છું. હું તેને મારી આધીન કરીશ, તું વચમાં આવનાર કોણ?” અને પ્રભાવતી ત્યાં જ પિોકારી ઉઠી-“એ ઉત્તમ પુરુષ ! તમે તે પિતા જેવા લાગે છે. ઓહમહામાનવ ! તમે તે મારા
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy