SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૫ દત્તે સુકુમારિકાને શાંત કરી. ધીમે ધીમે સાગરદત્તે સુકુમારિકાને હવે ધમ માગે વાળી દીધી. સાધુઓને દાન આપવામાં અને તેમની વિવિધ સેવા કરવામાં સુકુમારિકા જોડાઈ ગઈ. પેાતાના દુઃખને આ પવિત્ર કાર્યમાં તે ભૂલી ગઈ.... મેં સુકુમારિકા સાધુતાના પથે એકવાર કોઈ ગુણવત સાધ્વીજીએ સાગરદત્તને ત્યાં વહેારવા આવ્યા. સુકુમારિકાએ ખૂબ જ ભાવપૂર્વક સાધ્વી જીએને વહેારાખ્યું. સાવીજીની ધર્મ સમજાવવાની છટાથી સુકુમારિકા ખૂબ પ્રભાવિત થઇ. આખરે સુકુમારિકાએ પણ સાવીજી થવાના નિર્ણય કરી લીધા. સુકુમારિકા ત્યાર બાદ સુંદર સાધ્વી બની ગઇ....વિવિધ અભ્યાસ કર્યાં બાદ તેણે કષ્ટો સહન કરવાના અભ્યાસ કરવા માંડયો. એક દિવસે સુકુમારિકાએ તેમના વડીલ સાધ્વીજીને કહ્યુ “ આર્યાં, હું બહાર ઉદ્યાનમાં જઈને આતાપના લઉં ? ' (ગરમી સહન કરું.) વડીલ સાધ્વીજીએ મધુરતાપૂર્વક કહ્યુ “ સાધ્વીજી ! તમે જાણેા છે કે સાઘ્વીજીથી જાહેરમાં આતાપના ન લેવાય.” સુકુમારિકાએ પેાતાના વડીલ સાઘ્વીજીની વાત ગણકારી નહીં. ગુરુણીજીની ના હેાવા છતાંય પેાતાના ઉદ્ધત સ્વભાવ પ્રમાણે તે આતાપના લેવા મહાર ઉદ્યાનમાં નીકળી પડયા. તે સાધ્વીજી મહાર ઉદ્યાનમાં આતાપના લેતા હતા, ત્યાં જ ઉદ્યાનના એક ખૂણમાં તેમની દૃષ્ટિ પડી.... આમેય આત પનાના થાક હતે....તનની જોડે મન પણ થાકયુ હતુ. નજર આમતેમ ભમતી હતી. ઉદ્યાનમાં જે દૃશ્ય જોયુ
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy