SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ જાણે કંસને ઘોડા પર કંસને તિરસ્કાર ઉતાર્યો, વાયુવેગે આ સમાચાર કંસને મળી ગયા. બંને ય અલમસ્ત બળદ અને ઘડે સદા માટે શાંત થઈ ગયા. મુંઝાયેલા કંસે ફરી મુખ્ય મંત્રી બૃહસ્પતિને લાવ્યા, કંસને મંત્રી પાસેથી સાચી નહીં પણ પોતાને સારી લાગે તેવી સલાહની જરૂર હતી. સાચી વાત માનવા તે તૈયાર ન હતો. પણ પિતાની ધારેલી દિશામાં દોડ સફળ કેવી રીતે થાય તે જ તેને પૂછવાને અર્થ હતો. ર: કૃષ્ણના વધ માટે – કંસને બહપતિની સલાહ મુખ્ય મંત્રી બૃહસ્પતિએ કહ્યું, “આમેય તમારી બહેન સત્યભામાને પરણાવવાની છે. સ્વયંવર કરે ! અને એવું જાહેર કરે છે જે તમારા મહાન શાફૂગ ધનુષ્ય પર ચાપ ચઢાવે તેને સત્યભામા પરણાવવી. વળી શ્રી કૃબ વગેરે પણ આવા કુતૂહલના પ્રસંગે આવશે. વળી જોતિષીનું પણ વચન જ છે કે આપને હત્યારે આ શાર્ગ ધનુષ્યપર જે ચાપ ચઢાવશે તે થશે. તેથી જ સ્વયંવર મંડપમાં પહેલેથી સશસ્ત્ર સુભટોને ગઠવી રાખજે. જે ગેપાલ શ્રીકૃષ્ણ સ્વયંવર મંડપમાં આવે કે તરત જ તેનો વધ કરી નાંખજે. આટલે ઉપાય છે. કંસને તો ભયના માર્યા કશું જ સૂઝતું ન હતું ડુબતો માણસ તણખલાને પણ શેધે તેવી દશા કંસની હતી, કંસે બૃહસ્પતિ મંત્રીને કહ્યું, “બૃહસ્પતિ ! તું જ બધું આજન કર પણ શ્રીકૃષ્ણને ખલાસ કરજે.”
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy