SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ જે તમારા કેાઈનાથી પણ સ્પશી ન શકાય તેવા શાડુંગ નામના ધનુષ્યને નમાવીને દોરી ચડાવશે....તે અવશ્ય તારા પ્રાણ હર્તા થશે.... આટલું કરનારને તું દેવકીના સાતમા પુત્ર માનજે.... આ આગાહી મારી નથી. આવી આગાહી આગળના કોઈ મહાન જ્ઞાની ગુરુ ભગવંતે કરેલી છે.... જ્યાતિષીએ એમ પણ કહેલ છે કે કંસના ચાણુર નામના મલ્લને જે હરાવશે અને કસના પદ્મોત્તર અને ચંપકનામના બે હાથીને જે મારી નાંખશે તે જ કસને ઘાતક થશે. અને આ જ મહાન આત્મા યમુના નદીમાં રહેલા કાલિય નાગને પણ નાથી તેના પ્રાણને નાશ કરશે.....’ કસ ચેાતિષીના આ વચનથી એકવાર તે પગથી માથા સુધી પ્રજી ઊઠવ્યા છે. આજે હવે તેની આંખેા પોતાના એ ઘાતકને જોવા તલસી રહી છે. હજી તેને મનમાં છે કે જો આ મારા ઘાતક મારી નજરે ચડી જાય તે હું તેને સ્વાહા કરી દઉ.... હજારાને જીવાડનારો પોતાના જીવનની ચાહના કરે તે હજી સમજાય....પણ હજારોના સંહાર કરનારને ય પોતાનુ જીવન છેડવુ ગમતું નથી....તે આશ્ચય છે. લાખાના પ્રાણ હરનારને પણ પોતાના પ્રાણ અમૂલ્ય લાગે છે....
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy