SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩પ નહીં. આજે લગભગ સંસ્થાના વહીવટી ખટપટોના મેદાન અને રાજકારણના રણ બની ગયા છે. જે ધર્મ કાર્ય તમારા વિના ન જ ચાલે એવું હોય તેવું કાર્ય કરીને તમે પસી જજે. પર દિકરો પિતાની સ્વેચ્છાથી તમારા ચરણમાં પિતાની કમાણી ન મૂકે. અને તમે ધર્મ કરવા માટે તેની પાસે ધનની માંગણી કરી અને દાન કરે તો ત્યાં સમજજે કે ધર્મારાધના તો થશે પણ સેકન્ડકલાસની....(Second Class).... સાચું સત્વ તો ત્યાં જ છે કે કેઈની ય પાસેથી માંગવું નહીં. જે સહજભાવે પ્રાપ્ત થયું છે તેમાંથી વધુમાં વધુ આપવાને ખ્યાલ રાખે. નહીં તો ભલી અનુમોદના....ધર્મ કરનારા ખૂબજ છે. દાન કરનારા ખૂબ છે...સહુની અનુમોદના કરે....દાનથી થતાં ધર્મની ગણતરી કેટલા રૂપિયા ખર્ચ્યા તેનાથી નહીં, પણ જે સહજભાવે સાત્વિકતાપૂર્વક, પ્રમાણિકતા પૂર્વક મળ્યું છે, તેમાંથી કેટલા ટકા ખર્ચા તેના પર થાય છે તે ભૂલશે નહીં. પર તમને લોકોને એક રોગ લાગુ પડ્યો છે કે ભયમાં ભરે છે અને ભૂખ્યાને ટળવળાવે છે...જ્યાં વાજું વાગતું હોય તેવા ઠેકાણે લાખના બદલે દશલાખ ખર્ચો છે અને જ્યાં પાઈ-પાઈની મુશ્કેલી હોય છે ત્યાં તમારે હાથ પણ પહોંચતું નથી. સાચું “જૈનં જયતિ શાસનમ ” કરવું હોય તો ટોળાની પાછળ ઘસડાઈ જવાના રોગને તિલાંજલી આપે.
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy