SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ અજ્ઞાન હોય ત્યાં સુધી જ અકસ્માત થયે એમ લાગે. બાકી વિશ્વમાં સર્વત્ર કર્મ સત્તાનું સામ્રાજ્ય તે છે જ, ભીષ્મ પિતામહે તે વાત ધીરે રહીને પાંડુના કાન સુધી પહોંચતી કરી. પાંડુના માટે આ વાત આઘાતજનક હતી. પણ તે દૌર્યવાન હતા. ભીષ્મ પિતામહ આગળ તેમણે જરાય નાખુશી રજૂ ન કરી પણ તેમણે પ્રસન્નહસ્તિને એકાંતમાં લાવ્યો. બોલ પ્રસન! આવું કેવી રીતે બની ગયું ? બધું ફરી કેમ ગયું? પહેલથી આખી વાત મને કહે.” પ્રસન્નહસ્તીએ પહેલાં કુંતી માટેની “હા” અને પાછળથી થયેલી “ના” ને ઈતિહાસ સંભળાવ્યું. તેમણે પ્રસન્નહસ્તિને એક જ પૂછયું–ભલે કુંતીના પિતાએ ના કહી હોય પણ મારા સમાચાર સાંભળતા કુંતીના મુખ પર શું ભાવ હતા ?” કુંતીત તમને રેમ—રેમથી ચાહતી હોય તેવું લાગતું. હતું. તમારી વાત સાંભળતા જ એક હળવે કંપ તેણે અનુભવ્યો હતો. તમારા ગુણોની વાત એક હરણની માફક ચકિત નયને તે સાંભળતી હતી. શ્રી પાંડુ સમજી ગયા કે કુંતી જે મને ચાહતી હશે તો કઈ વાંધો આવવાને નથી. પણ.......માર્ગ મળે કેવી રીતે ? એક તરફ ભીષ્મ પિતા. મની મર્યાદા છે. બીજી તરફ વિશાળ રાજ્યની જવાબદારી છે. ત્રીજી બાજુ કુંતી માટેનું હૃદયમાં તોફાન છે. પિતાના દુખોને કર્તવ્યની વેદીમાં હોમી દઈ કાર્યમાં મગ્ન રહે. વામાં જ મહાનતા છે, છતાંય પેલા દુઃખે ખૂબ ઉછાળે. માર્યો મેહની રમત સમજવી ખૂબ મુશ્કેલ છે. જ્યારે પ્રિય વ્યક્તિ પાસે હોય ત્યારે તેની પાસે ફરકવાનું મન પણ ન
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy