SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી-૩ ૩૫ આ બધા ભેદો ચરણ એટલે ચારિત્રરૂપ હોવાથી અને સંખ્યામાં ૭૦ હોવાથી ચરણસિત્તરીના નામે શામાં ઓળખાય છે. પ્ર. પાંચ વ્રતમાં કહેલા બ્રહ્મચર્યવ્રતમાં બ્રહ્મચર્યની ૯ ગુપ્તિ અન્તર્ગત છે છતાં તેને જુદી કહી? છે. આ વ્રતના પાલનમાં અપવાદ નથી એ વાત સૂચવવા માટે એમ કર્યું છે. રાગ-દ્વેષના મનઃપરિણામ બગડ્યા વિના કાયાથી અબ્રહ્મ સેવાતું નથી. જ્યાં કાયાથી દોષ સેવવા છતાં મન નિર્મળ રહી શકતું હોય ત્યાં જ અપવાદમાર્ગ હોઈ શકે છે. અહીં તે પ્રવૃત્તિ અને પરિણતિ બે ય દુષિત થાય છે માટે અપવાદ સંભવતા નથી. આ ઉપરથી ખ્યાલ આવશે કે આધાકર્માદિનું સેવન પણ અપવાદ માર્ગ રૂપ ત્યારે જ બને, જ્યારે તેમાં મનના રાગાદિ ભાવને પ્રાદુર્ભાવ ન થઈ જાય. પ્ર. પાંચ વ્રતમાં ચારિત્ર આવી જવા છતાં તેને જ્ઞાનાદિ ત્રણમાં જુદું કેમ કહ્યું ? ઉ. પાંચ વ્રતમાં સામાયિક ચારિત્ર સમજવું. બાકીના છેદોપસ્થાપનીયાદિ જ્ઞાનાદિ ત્રણમાં કહેલા ચારિત્ર પદથી લેવા. કેમકે પાંચ વ્રતમાં વ્રત શબ્દથી પાંચ ચારિત્રના સામાયિક અંશનું જ ગ્રહણ થાય છે. એટલે બાકી રહેલાં ૪ ચારિત્રોનું નિરૂપણ કરવા જ્ઞાનાદિત્રયમાં ચારિત્ર લીધું. પ્ર. ૧૨ પ્રકારના તપમાં વૈયાવચ્ચ નામનો તપ આવી જવા છતાં વૈયાવચ્ચને જુદી કેમ કહી?
SR No.022886
Book TitleMuni Jivanni Balpothi Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy