SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી-૩ ૧૦૫ યાદિને શાન્ત કરવાની શક્તિવાળે હોય (૧૪) સૂત્ર તથા અર્થને સમજાવનાર–વ્યાખ્યાતા હોય (૧૫) પતાના ગુરુએ જેને ગુરુપદ આપ્યું હોય. આ ૧૫ ય ગુણવાળા ઉત્તમ ગુરુ કહેવાય. તેમાંથી ૪-૫ ગુણ ચતુર્થાશ) હીન મધ્યમ કહેવાય અને અડધા ગુણ ઓછાવાળે યતિ કે ગુરુ જઘન્ય કોટિના સમજવાં. પંચવસ્તુ ગ્રન્થમાં કહ્યું છે કે અવસર્પિણી કાળના પ્રભાવે ઉપરના ગુણેમાં એક-બે-ત્રણ ગુણ ઓછા હોય અર્થાત્ ગુણેની બહુમતિ અસ્તિત્વ ધરાવતી હોય તે ગુરુ કે શિષ્ય ગ્ય સમજવા. આથી પણ આગળ વધીને વર્તમાનકાળમાં ઉચિત ગુરુનું સ્વરૂપ જણાવતાં ત્યાં કહ્યું છે કે, “જે (૧) ગીતાર્થ હોય (૨) કૃતગી (સાધુની કરણીનો જાણુ) હોય (૪) ગ્રાહણકુશળ (શિષ્યને અનુષ્ઠાનાદિ શીખવાડવા વગેરેમાં કુશળ) હોય (૫) શિષ્યના સ્વભાવને અનુસરવા પૂર્વક (અનુવર્તક) તેને ચારિત્રની રક્ષા કરતે હેાય તે પણ અપવાદમા દીક્ષા આપવા માટે યંગ્ય સમજ. અપવાદમાગના જઘન્ય ગુણોમાં ય “અનુવર્તક ગુણ લેવામાં આવ્યું છે. આ ગુણ અંગે પંચવસ્તુક ગ્રન્થમાં ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજા કહે છે કે, “દીક્ષાને પાળતા પૂર્વભવના અભ્યાસથી સ્કૂલનાએ તે કેની ન થાય ? પણ શિષ્યની તે ભૂલને શાસ્ત્રોક્તવિધિથી જે (ગીતાર્થ ગુરુ દૂર કરે તેનું ગુરુપણું સફળ છે. તે જ સાચે ભાવ-ગુરુ
SR No.022886
Book TitleMuni Jivanni Balpothi Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy