SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨૭) તા તેનું સુંદર મુખડું જેઈ માતાપિતાને સંતાષ થાય પછી નીરાંતે આત્મકાર્ય સધાય, એ માટે ભાવડશાહે સામચંદ્ર શેઠને કહેલી વાત સામચંદ્ર ભૂલ્યા નથી. સામચંદ્ર શેઠે પણ એક શુભ દિવસે તે કાર્ય ને માટે મુસાફરી શરૂ કરી. જાવડશાહ પેાતાના જીલ્લાનું શાસન ખુબ સંભાળથી ચલાવતા હતા, જુલમગારાથી નિર્બળાનું, દુર્જનાથી સજજનાનું, અને શયતાનેાથી ગરીબેનું રક્ષણ કરવા તરફે ખુબ ધ્યાન આપતા હતા. કાઇ પણ અન્યાય ન થાય તે માટે ન્યાય ઘણાજ વિચારપૂર્વક કરવામાં આવતે, તે માટે સારા ઉચ્ચ વિચારના, નિર્વાભી, નિષ્પક્ષપાતી એવા ન્યાયાધીશેાની નિમણૂક કરી હતી. ઘણા ઘણા વિચારપૂર્વક એ તંત્રના કારભાર ચાલતા હતા. પોતે પણ રૈયતનાં સુખદુ:ખ જાણવાને અહુજ કાળજી રાખતા હતા, કોઇકાઇવાર રાત્રીએ વેશપલટ કરી શહેરચર્ચા જોવાને નિકળી પડતા, કેાઈવાર સામાન્ય વેષે પેાતાના ગામડાઓમાં ગામની સ્થિતિ જોવાને નીકળવાના એમને ભારી શાખ હતા. પેાતાનુ શરીર પણ કસાયલુ અને મજબુત હતું. એ નાજુક શરીર સુંદર અને કેામલતા ધારણ કરવા છતાં કદાવર અને સશક્ત હતું. એ શરીરને બચપણથીજ ખાસ લક્ષ પૂર્વક કેળવવામાં આવ્યું હતું. મદ્યપુસ્તિમાં ટીપા
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy