SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૮ : [ ૩૫ ] થયેલો જણાવે છે. જ્યોતિષીઓ ગ્રહ ગણાદિ નિમિત્તને દેષ જણાવે છે અને મંત્રવાદીઓ ભૂત-પિશાચકૃત ઉપદ્રવ જણાવે છે પરંતુ શુદ્ધમતિવાળા સાધુજને તે તેને કર્મોદયરૂપ નિમિત્ત જ કહે છે. ૧૦. જે રસિકજનો શાસ્ત્રોક્ત સુભાષિત અમૃત રસોવડે કાનને સદા પવિત્ર કરતા રહે છે, તેમના જન્મ ને જીવિત સફળ છે, તેમનાવડે જ આ ભૂમિ ભૂષિત છે; બાકી પશુ પેઠે વિવેકવિકળ અને પૃથ્વીને ભારભૂત એવા મુગ્ધ અવિવેકી જાવડે શું ? ૧૧. નિ:સ્પૃહીને કેઈની આશા નહીં હોવાથી તે સારા જગતથી ઉદાસીન બને છે. ૧૨. જીવવા છતાં પાંચ પ્રકારના માણસોને વ્યાસજીએ મૃતપ્રાય કહ્યા છે. (૧) દરિદ્રી-નિર્ધન (૨) રાગી-વ્યાધિગ્રસ્ત (૩) મૂઢ-વિવેકહીન (૪) સદા પ્રવાસી અને (૫) નિત્ય પરાઈ નેકરી કરી જીવિત ગાળનાર. ૧૩. અતિ લોભીને માથે કાળચકે ભમે છે તે વાત મોહમાયાવશ જ ભૂલી જાય છે. ૧૪. માયા-કપટ, નિર્દયતા, ચંચળતા ને કુશીલતા એવા દોષ જેનામાં સ્વાભાવિક જ હોય છે તેવી સ્ત્રીઓમાં રમણકામચેષ્ટાદિક કોણ સુજ્ઞ કરે ? ૧૫. મર્મમાં વાગે એવું વચન, નોકર ઉપર વિશ્વાસ, વજને સાથે કલેશ, મૂખની સાથે સંગત અને બળિયા સાથે બા, એ પાંચ અનર્થકારી છે.
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy