SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨] શ્રી કરવિજયજી ૧૫. ઉતાવળ ગોથાં ખવરાવે છે અને બંધન તથા અંતરાય ઉત્પન્ન કરે છે. ૧૬. આ સમયમાં એવા માણસોની જરૂર છે કે જેઓ જગતની નિંદા કે સ્તુતિની કંઈપણ દરકાર રાખ્યા વગર કામ કરવાની અને શૈર્ય રાખવાની હિંમત અને શક્તિ ધરાવતા હોય. ૧૭. પ્રત્યેક સફળ જીવનને મોટો ભાગ પાયે નાખવામાં જ વ્યતીત થાય છે. અર્થાત્ સફળતા એ પરિશ્રમ અને ખંતનું જ ફળ છે. ૧૮. જે સ્વામી બનવાને વધારે ઉતાવળ કરે છે તે ગુલામ બની જાય એ વધારે સંભવ છે. પિતાને બુદ્ધિમાન ધારી આળસુ બને તેના કરતાં તમારી જાતને સુખી ધારી કામ કરો તે વધારે સારું છે. ૧૯, અતિ સાધારણ એવા ઘણા બકરાઓ કુશળ શિક્ષકની બીક ને રસભરી દેખરેખથી અસાધારણ પુરુષ બન્યા છે. [જે. ધ. પ્ર. પુ. ૫૪, પૃ. ૨૯ ] અમૂલ્ય વાક્યામૃત. તમે જે તમારી આત્મોન્નતિને ઈચ્છતા હે તે તમારે તમારા આત્મવિકાસને આચ્છાદિત કરનારા અનેક સંકટને સામને કરે પડશે, અને તે સંકટ કે આપત્તિઓમાં મુંઝાયા સિવાય બહાદૂરીથી ક્ષમા તથા સંતોષ રાખી તેને જીતશો તો જ તમે તમારું ધ્યેય(સાધ્ય બિંદુ સાધી શકશે. તમારે પરમાત્મા બનવું હોય તે અપકારીના ઉપર પણ
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy