SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૮ : [ ૨૬૭ ) આપણી સામાજિક શોચનીય સ્થિતિ. ૧ આપણે વિવિધ પ્રકારની નિબળતા આપણને કેટલી બધી નડે છે–પાછા પાડે છે તેને ખ્યાલ કરી, આપણું સ્થિતિ વધારે ખરાબ થતી અટકે એવી સુધારણા જરૂર કરશે. ૨ “આગળ બુદ્ધિ વાણીઓ ને પાછળ બુદ્ધિ વિપ્ર એ જૂની કહેવતને સાચી કરી દેખાડવા જેવો દમ કોઈ સ્થળે તમને દેખાય છે ? એથી ઊલટો જ દેખાવ જ્યાં ત્યાં જોવા મળતાં તમને અંતરમાં કશી લાગણી કેમ થતી નથી ? ૩ થવા પામેલી આપણી વિવિધ નિર્બળતાનાં ખરાં કારણે શોધવા ને મીટાવવા સહદય શાસન પ્રેમી જનેએ ખરેખર કેડ કસી દ્રઢ પ્રયત્ન કરવા મંડવું જોઈએ. ૪ આવી ને આવી ભયંકર ઉપેક્ષા કર્યા કરવી એ કેટલી બધી ઘાતક બનતી જાય છે તેને આંખ મીંચી વિચાર કરે. ૫ તમે ત્યાગી સાધુ-સાધ્વી છે કે ગૃહસ્થ શ્રાવક-શ્રાવિકા હે; પરંતુ જેનશાસનના અંગરૂપ લેખાતા હોવાથી આપણું બાઢા-અંતર સ્થિતિનું આંખ ઉઘાડી અવલોકન કરી જોઈ આટલું અજબ પરિવર્તન થયાના કારણ શોધી કાઢીને સુધારવા સાવ ઉપેક્ષા કરવી ન જ ઘટે. એથી તે વધારે ભયંકર સ્થિતિ ઊભી થવા પામશે. તેથી જ અગમચેતી વાપરી સાવધાન થવાની જરૂર છે. ૬ આપણે દયાધર્મને દાવો કરી સેંકડે સ્થળે પાંજરાપોળો વિગેરે નિભાવવા લાખ દ્રવ્યનું ખર્ચ કરતા રહીએ છીએ; પરંતુ તેને માટે જોઈતી વ્યવસ્થાની ખામીને લીધે તેની બહુ જ ઓછા પ્રમાણમાં સાર્થકતા થઈ શકે છે, અને ઘટતી કાળજી અને લાગણી વગર તેમાંને ઘણે પૈસા બરબાદ જાય છે. છતી શક્તિએ તેવી ઉપેક્ષા કર્યા કરવાથી કેટલું બધું વધારે નુકશાન
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy