SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૮ : [૨૩૩ ] ૯ મજબૂત, નિરોગી, સુખી, પ્રતાપી ને સદગુણ પ્રજા પેદા કરવા ઈચ્છતા દરેક માતપિતાએ જાતે જ બ્રહ્મચર્યના અગણિત લાભ વિચારી જેમ બને તેમ ટેક રાખી દઢતાથી તેનું લાંબો વખત પાલન કરી સ્વવીર્યનું સારી રીતે સંરક્ષણ કરવા પ્રથમથી જ ટેવાવું જોઈએ. ૧૦ બ્રહ્મચર્યના ઉત્તમ નિયમોનું પરિપાલન કરવાથી શરીર સ્વાથ્ય, ચિત્તની પ્રસન્નતા, શોર્ય, ઉત્સાહાદિક અનેક ઉત્તમ લાભ અહીં જ સાં પડે છે અને અનેક રીતે પરમાર્થ માગે સ્વવીર્યનો સદુપયેગ કરવાથી ઉત્તમ ગતિ યા સદગુણના પ્રકાશવડે આત્મઉન્નતિ સાધી, સ્વપરઉપકારક બની આ દુર્લભ માનવભવ લેખે કરી શકાય છે. [૨. ધ. પ્ર. પુ. ૬૯, પૃ. ૧૭૩] જૈન તરીકે ઓળખાવનારે કેવું જીવન ઘડવું જોઈએ? ૧ શુદ્ધ દેવ અરિહંત, શુદ્ધ ગુરુ-નિર્ગથ અને શુદ્ધ ધર્મ અહિંસા, સંયમ ને તપલક્ષણ-એ ત્રણ તત્વમાં અટળ શ્રદ્ધા રાખી દ્રઢ મને તેમના પવિત્ર શાસનને અનુસરી દરેક જેનબંધુએ જરૂર સ્વઆત્મવિકાસ સાધવે જોઈએ. ૨ નાના મોટા સહુ જીવોને સ્વઆત્માતુલ્ય લેખતા રહી, સ્વાર્થવશ બની કેઈને કરી પ્રતિકૂળતા ન ઉપજે તેવી રીતે મૈત્રી, મુદિતા, કરુણું ને માધ્યસ્થતા નામની ચાર પવિત્ર ભાવનાવડે અંત:કરણને તરબોળ કરી રાખવું જોઈએ, જેથી કરાતી દરેક કરણી સરસ ને સાર્થક થઈ શકે. ૩ નીતિ એ ધર્મને પામે છે” એ સાચું સમજાયું હેાય તે હવે પછી ગમે તે ભેગે અનીતિથી બચતા રહી નીતિમાં મક્કમ રહેવું જોઈએ.
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy