SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ: ૮ : ૨૨૫] સારામાં સારો ઉપયોગ કરવો જોઈએ. જે ક્ષણ ગઈ તે પાછી આવતી નથી. પ્રથમ સ્ત્રી કે કન્યા કેળવણીની દરકાર બહુ ઓછી કરાતી. જે કે અત્યારે તેની થોડી ઘણી દરકાર કરાય છે ખરી પરંતુ તેમને આપવામાં આવતી કેળવણ બહુધા બેજારૂપ હાઈ નકામા જેવી છે, તેથી તેમાં સંગીન સુધારો કરવાની ભારે જરૂર છે, એમ સ્વદેશ અને પ્રજાહિતૈષી પકારી પોકારીને જણાવે છે. તે લક્ષમાં લઈ સ્ત્રી કે કન્યા ઉપગી કેળવણીને માર્ગ અંકિત કરી તે મુજબ ચલાય તો જ તે દેશને તેમજ ભવિષ્યની પ્રજાને હિતરૂપ થઈ શકે. જ્યાં ત્યાં જડયંત્ર જેવી અપાતી કેળવણથી પ્રજાનું દારિદ્ર ફીટવાનું નથી. સદવર્તન શાળી સુગ્ય શિક્ષકો કે શિક્ષિકાઓ દ્વારા પૂરા પ્રેમ ને ઉત્સાહથી આખા દેશમાં પ્રજાની કેળવણીને પુષ્ટિ મળવી જોઈએ. ખરી ને શરૂઆતની કેળવણું તો પિતાની ગોદમાં ખેલતી બાળપ્રજાને શાણું માતાએ જ ખરા ઊમળકાથી આપી શકે છે, તેને આપણે બીજ કેળવણીરૂપે ઓળખશું. જે જે મહાપુરુષ પૂર્વે થયા, વર્તમાનમાં વિદ્યમાન છે અને ભવિષ્યમાં થશે તેઓ પ્રાયે તેવી બીજકેળવણી પામીને જ. પિતાની પ્રિય પ્રજા( સંતતી)ને સુખી અને સદ્દગુણી બનાવવા ઈચ્છતા શાણા માતપિતાની ખાસ ફરજ છે કે તેમણે જાતે પરિશ્રમપૂર્વક ઉત્તમ સદગુણે સંપાદન કરીને તે અમૂલ્ય વારસો પોતાની હાલી પ્રજાને આપ. સમયોચિત કેળવણીના પ્રતાપે સદ્ગુની ચાહના અને પ્રાપ્તિ સહેજે થઈ શકે છે, તેથી તે તરફ સહુએ બને તેટલું અધિક લક્ષ રાખી પોતાની ફરજ બજાવવી. યેગ્ય
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy