SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૮ : [ ૧૫૯ ] બેધદાયક વાક્યો. ૧ પુરૂષમાં શિરોમણિ તે જ કે જે ધર્મનું ભલીભાતે આરાધન કરવા ન ચૂકે. ૨ દરેક ધર્મક્રિયામાં શુભ ભાવનારૂપ અમૃતનું સિંચન કરતા રહેવાથી તે યથાર્થ ફળદાયક થશે. ૩ સર્પ જેમ કાંચળી છોડી દેવા માત્રથી નિર્વિષ થતો નથી તેમ બાહા પરિગ્રહનો ત્યાગ માત્ર અંતરની મમતા મટ્યા વગર કલ્યાણસાધક થઈ શકતો નથી. ૪ જ્યાં સુધી ધર્મ અસ્થિમજામાં કહે કે અંતરમાં સ્પર્યો નથી ત્યાં સુધી તેને યથાર્થ સ્વાદ–અનુભવ આવી શકતો નથી. ૫ શું મધુર અને કોમળ વચન વૈરીના અંતરને પણ ભેદી નથી શકતા? ૬ અપરાધ કર્યા છતાં પણ કેપે નહીં એવા પુરુષો દુનિયામાં કોઈ વિરલા હોય છે. ૭ દષ્ટિરાગ તજી ગુણાનુરાગી થઈ રહેવામાં જ ખરું હિત રહેલું છે. ૮ જસ-કીતિના લેભી થવા કરતાં આત્મહિત સંભાળી રાખવાથી જ ખરે લાભ છે. ૯ પાપથી ડરી, નીડરપણે સત્ય માર્ગે ચાલવાથી જ આ મહિત સધાશે. ૧૦ ક્રોધને ટાળવા ક્ષમા-સમતા-મસહિષ્ણુતાનું ઠીક સેવન કરવું ઘટે.
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy