SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૨ ] શ્રી કરવિજયજી ૭. મહાવીર સ્વામી પ્રમુખ પરમ પવિત્ર પુરુષનાં ચરિત્ર વાંચી-સાંભળી-તેનું મનન કરી જેમ બને તેમ શીધ્ર ચેતી, વછંદતા તજી, પ્રમાદ રહિત સત્ય સ્વાભાવિક સુખ પ્રાપ્ત કરવા માટે સુજ્ઞ જનેએ સફળ પ્રયાસ કરવાનું લક્ષ રાખવું [ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૩૨૫ ] જોઈએ. શ્રી આચારાંગ ભાષાન્તરકારના હૃદયના ઉદ્દગાર ૧ જગતમાં રહેલા તમામ જીવો સુખ પામે, તેમના તમામ દુઃખ-દર્દ દૂર થાઓ અને તેઓમાં સત્ય જ્ઞાનને પ્રકાશ થાઓ, એ અમારી પહેલી ભાવના છે. ૨ ધર્મશાસ્ત્ર અને સાયન્સ(સિદ્ધપદાર્થ વિજ્ઞાનશાસ્ત્ર)ને જયાં પરસ્પર વિરોધ પડતું હોય, તેવા સ્થળે ધર્મશાસ્ત્રમાં વપરાયેલી ગુપ્ત (સાંકેતિક) ભાષા લક્ષમાં લઈ તેના સમ્યગ અર્થ કરવા માટે ખરેખર બુદ્ધિમાન મહાપુરુષે આ ભૂમંડળ ઉપર અવતરે, તેઓ મુગ્ધ શ્રદ્ધાએ ન દેરાતાં ખરું સત્ય શોધીને સત્યને જ કાયમ રાખવા. દરેક ધર્મશાસ્ત્રની ગુપ્ત વાણના તે તે દેશકાળને અનુસરતા ઘટિત અર્થ બતાવીને જનમંડળમાં વ્યાપી રહેલા મિથ્યાત્વ( જૂઠ અને વહેમ)ને ઉચ્છેદ કરે, એ અમારી બીજી ભાવના છે. ૩ ધર્મવિરોધ દૂર થાઓ. સઘળા ધમમાં દયાને મહિમા દઢમૂળ થાઓ. સઘળા ધર્મોમાં સત્યના મૂળ શોધાઓ અને એ રીતે સઘળા ધર્મો દયા અને સત્યના મજબૂત પાયા પર સ્થાપિત થઈ ધર્મે કયતા કાયમ થાઓ, એ અમારી ત્રીજી ભાવના છે.
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy