SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૭ : [ ૨૩ ] ત્યારે મનથી, વચનથી કે કાયાથી રાગ, દ્વેષ કે માહાર્દિકની પરવશતાથી જે જે પાપ કર્યું, કરાવ્યુ કે અનુમાવું હાય તે અંતરના પશ્ચાત્તાપ સાથે, ફ્રી તેવાં પાપ તેવા ભાવે નહીં કરવાની બુદ્ધિથી જ્ઞાની ગુરુમહારાજની પાસે નિ:શલ્યપણે ( સરળતાથી ) નિવેદન કરી, તેના નિવારણુ માટે જ્ઞાની ગુરુએ જે કંઈ શિક્ષા પ્રાયશ્ચિત્તરૂપે ફરમાવી હાય તે પ્રસન્નમુખે પ્રમાણુ કરી, તેનેા અમલ કરવા. મૂળ વ્રત સંબંધી મર્યાદાનુ અતિચારાદિક દેષાવડે ઉર્દૂ - ધન થયું હાય તે ભૂલના ઊંડા આલેાચપૂર્વક સુધારા કરવા. એવી જે કાઇ ભૂલા આ ભવમાં કે ભવાંતરમાં થઇ હાય તે કલ્યાણ મિત્રરૂપ જ્ઞાની ગુરુ સમીપે સરલ ભાવે કબૂલ કરી શુદ્ધ થવું, તદ્રુપ પ્રતિક્રમણ અવશ્ય કરવું. જેમ ખરેા વ્યાપારી રાજમેળ રાખી, વર્ષના અંતે સરવૈયું કાઢી, આખા વર્ષ દરમિયાન થયેલ લાભહાનિના નિશ્ચય કરી, થયેલી કે થતી હાનિને ખાળવા ને અધિક લાભ મેળવવા મથન કરે છે તેમ પાપભીરુ ભવ્યાત્મા પણ પ્રમાદવશ થયેલા પાપ-દ્વાષને ટાળવા અને નિજ આત્મશુદ્ધિ નિપજાવવા અહેનિશ લક્ષ રાખ્યા કરે છે. દિવસ, રાત્રિ, પક્ષ, ચઉમાસ અને વર્ષ સંબંધી પાપની આલેચના જેમાં કરાય છે તે પ્રતિક્રમણ, અનુક્રમે દેવસી, રાઇ, પાક્ષિક ( પાખી ), ચઉમાસી અને સાંવત્સરિક ( સ ંવચ્છરી ) કહેવાય છે. જેમ ભારવાહી માથે ઉપાડેલા ભારને ઉતારી સહેજે હળવા થાય છે તેમ તે તે ભાવ-પ્રતિક્રમણ્ ચેાગે આત્મા પાપકર્મોના ભારથી હળવા થાય છે. તે પ્રતિક્રમણુ મૂળ સૂત્ર, અર્થ અને તદુભય શુદ્ધ કરવું જોઇએ. તદ્ભુત
SR No.022881
Book TitleLekh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1944
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy