SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૭ : [ ર૬૭ ] છે તે મેજબની ધૂનમાં સુખશીલતાથી ગુમાવી દેવું ન ઘટે, કારણ કે સમજુને દેહદમન કરવાનું ભારે ફળ કહ્યું છે. . (૬) શરીરની ક્ષીણતાદિક ખાસ માંદગીના કારણ સિવાય ગર્ભશ્રીમંતોને પણ છતી શક્તિએ જણપૂર્વક અણુવાણે પગે ચાલીને જ તીર્થયાત્રા કરવી ઘટે; કેમ કે આપણે કર્મથી હળવા થવા માટે જ તીર્થયાત્રા કરવા જઈએ છીએ, ભારે થવાને તે નહીં જ, એ મુદ્દાની વાત ભૂલવી નહીં જોઈએ. (૭) જીવિતવ્ય સહુને વહાલું છે તે પછી છતી શક્તિ ગોપવી, જનાવરોને ત્રાસ આપી જયણુ રહિત જાત્રા કરવા જવા આવવાને અર્થે શે? પ્રભુની આજ્ઞા સાચવીને જ યાત્રા કરી લેખે ગણાય. (૮) સહુ સાથે મૈત્રી, દુઃખી પ્રત્યે દયા-અનુકંપા અને સદ્દગુણું પ્રત્યે પ્રમોદ તેમ જ પાપી–નિંદક પ્રત્યે અદ્વેષ(ઉપેક્ષાભાવના રાખવી જ. એમ કરવાથી ધર્મકરણ સફળ થઈ શકે છે. (૯) પવિત્ર તીર્થોની યાત્રા કરવા જતાં અને યાત્રા કરી નિવર્યા પછી તો અવશ્ય અનીતિને સર્વથા ત્યાગ જ કરે જોઈએ. પવિત્ર તીર્થની યાત્રા કર્યાની સફળતા ત્યારે જ લેખી શકાય. (૧૦) અનીતિવંતનું મન જ ધર્મકરણીમાં ચૂંટી શકતું નથી અને મન વગરની બહાર દેખાવ પૂરતી કરેલી કરણ કે યાત્રા સારું ફળ આપી શકતી નથી. તેથી જ યાત્રિકોએ દયા, સત્ય, પ્રામાણિકતા અને સુશીલતા સાચવવા પૂરતી કાળજી રાખવી જોઈએ. એકડા વગરના ગમે તેટલા મીંડા કર્યા શા કામનાં માર્ગાનુસારી થવા માટે પ્રથમ દઢ પ્રયત્ન કરવો જોઈએ.
SR No.022881
Book TitleLekh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1944
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy