SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭૮ ] શ્રી કપૂરવિજયજી ( જીભ ) ઇંદ્રિયને જીતવી મુશ્કેલ કહી છે. તે એ ધારવાળા ખડ્ગ જેવી વિષમ છે. જો જ્ઞાન–વિવેકની ખામી હાય તે તે ખાવા-પીવામાં તેમજ બેલવા-ચાલવામાં પણ જીવને દડે છે. જો વકરેલી વાઘણુને મજબૂત લેાહિપેજરમાં પૂરી દેવામાં આવે તા તે વધારે નુકશાન કરી શકતી નથી તેમ સમજીને ચપળ જીભથી વધારે નુકશાન થવા ન પામે–થતું અટકે એવા કાઇ કુદરતી સંકેતથી તેને મંત્રીશ દાંતના મજબૂત કાટ–કિલ્લાથી વેષ્ટિત કરવામાં આવેલ છે. જો સાચી સમજપૂર્વક વિવેકયેાગે તેના સદુપયોગ કરવામાં આવે છે તે તેની કિમતી મદદથી જ્યાં ત્યાં જ્યારે ત્યારે ભારે લાભ ફાયદા મેળવી શકાય છે. વિવેકસર નિર્દોષ ખાનપાનનું સેવન કરવામાં આવે તે તેની મારત બીજી બધી ઇંદ્રિયાને ચાગ્ય પાષણ મળી રહે છે, અને સ્વજીવન–તત્ત્વ પણ ટકી રહે છે. વળી જો હિત, મિત ને પ્રિય સત્ય જ ખેલાય છે તે તેનાથી સયમની રક્ષા ઉપરાંત ખરું' તત્ત્વ જોઈ અનેક જના તેવા સત્ય ભણી સહે આકર્ષાય છે; પરન્તુ વિવેકશૂન્યપણે જેમ આવે તેમ બકવામાં આવે તા તેથી પરિણામે સ્વપરને ભારે અનર્થ થવા પામે છે. જીભમાં જ અમૃત અને જીભમાં જ ઝેર રહેલુ' કહેવાય છે, તે આ રીતે સત્ય ઠરે છે અને સુજ્ઞ ભાઇ-બહેનેાએ વિવેકથી જ તેના ઉપયાગ કરવા ઘટે. ખાનપાનમાં પણ વિવેક ભૂલવા જોઈતા નથી. રો તથા તમા ગુણુ પેદા કરનારી ચીજો તજી સાત્ત્વિક ગુણુ પેદા કરનારી નિર્દોષ ચીજેથી જ સ્વજીવનના નિર્વાહ કરવા ઘટે. : એ જ રીતે ચક્ષુ પ્રમુખ દરેક ઇંદ્રિયના દુરુપયેાગ કરવાથી ઉપજતાં અનિષ્ટ પરિણામની કલ્પના કરીને તેથી વિરમી જે સુન્ન
SR No.022881
Book TitleLekh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1944
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy