SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૭ઃ [ ૧૬૫ ] ૫. તેમજ જડાવ, તાળ વિગેરે. બાળજીએ બીજી વધારાની કઈક વસ્તુઓ સાથે કયાંક ક્યાંક દાખલ કરી દીધેલી જણાય છે. એ બધું કયાં ને કેટલું સાધક-બાધક છે તેને ખ્યાલ સરખે પણ એવા બાળજીવને ભાગ્યે જ હોઈ શકે ? ૬. બાળજીવોએ ગમે તેવી ભકિતની ધૂનમાં જે કંઈ મનગમતું દાખલ કરી દીધું તે બધું ગાડરિયા પ્રવાહને અંગે કાયમ નભાવ્યે જવું એ કેવું અને કેટલું અવિવેકભર્યું લેખાય? ૭. પ્રભુદર્શન, પૂજા ને સ્તવનને યથાર્થ વિધિ પણ વિરલા જ જાણતા હોય છે, તેથી થોડા જ તે પ્રમાણે આચરણ કરે છે અને બીજા બાળ–અજ્ઞાન જીને તેને યથાર્થ વિધિ શાંતિથી સમજાવી આદર કરાવવા જે સફળ પ્રયત્ન તે ઘણું જ થોડા કરતાં હોય છે. એથી જ જ્યાં ત્યાં અવિધિ દેષ પ્રગટપણે સેવાતો જેવાય છે, છતાં તેની દરકાર કોણ કરે છે? આજકાલ કહેવાતા ઉપદેશકે પણ પોતપોતાની ધૂન પ્રમાણે ઉપદેશ આપતા હોય છે. ખાસ સમયાનુસારી જરૂરને બોધ આપી, બાળજીવોને યથાર્થ માગે ચઢાવવાની દરકાર ભાગ્યેજ કરવામાં આવે છે, તેથી જ પ્રાય: ગાડરિયા પ્રવાહ વધારે પ્રમાણમાં વહેતા રહે છે. ૮. જે જિનેશ્વર ભગવાનનાં દર્શનાદિક કરવા જાય છે. તેમને જ પૂઠ દઈ પાછા વળતાં કેટલાં બધાં મુગ્ધ ભાઈ–બહેને નજરે પડે છે ? દેરાસરની અંદર રહેલાં બે બાજુના બારણામાંથી વિવેકપૂર્વક નીકળવાની દરકાર સહુ સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકાએ કાયમ રાખવી ઘટે. ૯. એનસાઈકપીડીયા નામના અંગ્રેજી ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ જૂને ઈગ્રેજી લેખ વાંચી સમજી શકનારની ખાત્રી
SR No.022881
Book TitleLekh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1944
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy