SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ { ૧૫૬ ] શ્રી કરવિજયજી કરવા માટે બેસવામાં આવે તે તે હિસાબે પૂર્વાદિકનું જ્ઞાન તથા કેવલજ્ઞાન કેમે પ્રાપ્ત થાય નહીં અર્થાત્ કોઈ દિવસ પાર આવે નહીં, પણ તેની સંકલના છે અને તે શ્રીગુરુદેવ બતાવે છે કે જેથી અલ્પ સમયમાં તથાવિધ ગ્યતાવંત મહાત્માઓ તેને પાર પામી શકે છે. આ જીવે નવ પૂર્વ સુધી જ્ઞાન મેળવ્યું તે પણ કાંઈ સિદ્ધિ થઈ નહીં તેનું કારણ વિમુખદશાએ પરિણામ પામેલ છે. તે જે સન્મુખ ભાવે પરિણમે તે તત્ક્ષણ સિદ્ધ-મુક્ત થાય. - પરમ શાન્તરસમય “ભગવતી આરાધના” જેવા એક જ શાસ્ત્રનું સારી રીતે પરિણમન થયું હોય તે બસ છે. તેનું રાગાદિની ગ્રંથી તુટે એવું એક પણ પદ-વાક્ય-જ્ઞાન શ્રેષ્ઠ છે. આ કાળમાં સંઘયણ સારાં નથી, આયુષની કંઈ નિશ્ચયપૂર્વક સ્થિતિ નથી, માટે જેમ બને તેમ આત્મહિતની વાત તરત જ કરવી, મુતવી રાખવાથી ભૂલ થાય છે ને ઈ બેસાય છે. આવા સાંકડા (વિષય) સમયમાં તે છેક જ સાંકડે સંયમ માર્ગ ગ્રહણ કરી લેવાય છે તેથી જ ઉપશમ, ક્ષયે પશમ અને ક્ષાયિક ભાવથી વીતરાગ ભાવ પ્રગટ થવા પામે. - કામ-ક્રોધ-લેભાદિ કેઈક જ વાર આપણાથી પરાભવ પામે છે, નહીં તે ઘણી વાર આપણને થાપ મારી દે છે. એટલા માટે બનતાં સુધી જેમ બને તેમ ત્વરાથી તેમને તજવા સાવધાન રહેવું. જેમ વહેલું થવાય તેમ કરવું. શૂર વીરપણાથી તેવા તરત થવાય છે. • વાર્તમાનકાળમાં દણિરાગી-દષ્ટિરાગાનુસારી માણસે વિશેષ પણે વર્તે છે.
SR No.022881
Book TitleLekh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1944
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy