SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩ ) પછી મારી આંખની મુશ્કેલીને લીધે દેઢ વર્ષ સુધી કઈ પણ ભાગ છપાવવાની વૃત્તિ નહોતી, પણ સંવત ૧૯ ના આસો વદ ૮ મે સદ્દગતની છઠ્ઠી જયંતિ ઉજવતી વખતે એવા ભાષણ થયા કે મહેનત કરવાથી સફળતા મળી શકશે અને તેને જ પરિણામે આ ભાગ પ્રસિદ્ધ થઈ શક્યા છે. છેલ્લા સાત વર્ષથી દર વર્ષે સદ્દગતની જયંતિ મુંબઈમાં ઉજવાય છે. આ ભાગ બહાર પડવાનો ખરો યશ ભાવનગરવાળા ગાંધી ચતુર્ભુજ મોતીલાલનાં ધર્મપત્ની બેન અજવાળીના વષીતપના પારણું પ્રસંગે તેમણે રૂ. ૫૦૧) ભરીને પ્રાપ્ત કર્યો હતો, અને તે જ વખતે ભાવનગરવાળા ગાંધી પ્રાણજીવનદાસ હરગોવિંદદાસના ઘેરથી બેન સુધાએ પણ વષીતપ નિમિત્તે રૂ. ૧૫૦) આપી આ કામમાં સહાય કરી. તે પછી જુદા જુદા ગૃહસ્થોને મળીને રકમ ભરાવી, જેને પરિણામે આ ભાગ બહાર પડી શકે છે. પૂજ્ય પંન્યાસજીને આ સર્વ કામમાં સક્રિય ફાળે છે. મારાથી બની શકતી દરેક રીતે કામ જેમ બને તેમ જલદી કરવાને હું ઉઘુક્ત રહ્યો છું, છતાં પાછળના છ મહિના છાપખાનાને લીધે લંબાયા છે, તે માટે હું ક્ષમા માગું છું. આઠમો ભાગ બહાર પડે તેટલું લખાણ છે, પણ લડાઈના અંગે જે વિષમ પરિસ્થિતિ થઈ છે તે દૂર ન થાય ત્યાં સુધી આઠમો ભાગ બહાર પડવાની સંભાવના ઓછી છે. ' શાસનદેવ અમારા આ કામમાં સહાય કરે એ જ પ્રાર્થના છે. ફંડમાં બની શકતી સહાય કરવા દરેક વાચક બંધુને નમ્ર વિનંતિ છે. જ્ઞાનાવરણીય કર્મને ક્ષય કરવાનો આ ઉત્તમ ઉપાય જવલ્લે જ જડી આવશે. વિ. સં. ૨૦૦૦ ] નરેનત્તમદાસ ભગવાનદાસ શાહ વિજયાદશમી મુંબઇ માનદ મંત્રી.
SR No.022881
Book TitleLekh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1944
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy