SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૪ ] શ્રી કરવિજયજી ૨૯ ખુલ્લાં દાન કરતાં ગુપ્ત દાન દેવું વધારે ઉત્તમ છે. ૩. ધર્મકાર્યોના કારણે મેળવી રાજી ન થવું, પણ તેવા કારણેથી કાર્ય થતું જોઈને રાજી થવું. ૩૧ ધર્મ કરવાને વિલંબ કે વાયદા ન કરવા, તેને વધારે અગત્ય આપવી. ૩ર જેટલું પ્રમાણિકપણું આપણે રાજ્યદંડ કે દુનિયાની બીકે સાચવીએ છીએ તેના કરતાં પાપની બીકે વધારે સાચવવાનું મન થાય તેવી ટેવ પાડવી જોઈએ. ૩૩ આપણે મરવું છે એ ચોક્કસ અને મરીને કયાંય પણ જવાનું તો છે જ, તો કયાં જશું તેને વિચાર પ્રથમ કરવો જોઈએ. - ૩૪ અન્યના દૂષણે જેવા કરતાં પહેલાં આપણા દુષણો જેવા જોઈએ. ૩૫ અનીતિનું કામ કરવાથી ગમે તેટલે ફાયદો થયો હોય તે પણ તે દેખીને રાજી ન થવું. ૩૬ ધર્મના અનેક કાર્યો છે છતાં જેમાં આપણું ચિત્ત વધારે ચેટતું હોય તે કાર્ય વિશેષ કરવું. ૩૭ જે હેતુથી જે ધર્મનું કાર્ય કરવા ફરમાવેલું છે તે હેતુ સચવાતું ન હોય તે તે કામ કરવું નિરર્થક ઠરે છે. - ૩૮ ટૂંકી–સંકુચિત દ્રષ્ટિ રાખવાથી ઈર્ષાળુ થવાય છે. ૩૯ જે પિતાનામાં ન હોય તે પિતાનામાં માની લેવાથી અહંકાર પેદા થાય છે.
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy