SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૩ : [ પ ] પ્રવેશ કર્યો, તેથી અધિષ્ઠાયક દેવ પ્રસન્ન થઈ, પ્રતિબોધ પામી તેની પ્રશંસા કરવા લાગ્યા. શ્રાવકને વર માગવાનું કહેતાં તેણે કઈ જીવને વધ ન થાય તેમ કરવા જણાવ્યું, તેથી દેવે તેમ વર્તવા કબૂલ કર્યું અને ઘેર બેઠાં બીજેરું મળવા લાગ્યું. એ સર્વ નમસ્કાર મહામંત્રનો પ્રભાવ સમજ. હવે પાક સંબંધી દષ્ટાંત બતાવે છે. ૧૦. પાક સંબંધી સુખ ઉપર ચડપિંગળ નામના ચેરનું પ્રથમ દૃષ્ટાંત –ચંડપિંગળ નામને ચેર એક વેશ્યાને ઘરે રહેતો હતો. એકદા રાજાને મહામૂલ્યવાળે મેતીને હાર ચોરી તેણે વેશ્યાને આપ્યો. કોઈક મહત્સવ સમયે તે હાર પહેરી વેશ્યા બહાર ગઈ. તે જોઈ રાણની દાસીએ તે હારને ઓળખી લઈને તે વાત રાણીને જણાવી. તપાસ કરી ચારને પકડીને શૂળીએ ચડાવ્યા. વેશ્યાને બહુ પશ્ચાત્તાપ થયે, તેથી શૂળી સમીપે જઈ રને નમસ્કાર મંત્ર સંભળાવ્યું. તે ત્યાંથી શુભ ધ્યાને મરીને રાજાને જ પુત્ર થયે. તે નમસ્કાર મંત્રના માહાભ્યથી અનુક્રમે રાજ્યાદ્ધિ પામી, દીક્ષા લઇ બહુ સુખી થા. ૧૧. બીજું દષ્ટાંત હુંડિક યક્ષનું છે. ડિક નામને ચાર ચોરી કરતો હતો અને મથુરામાં રહેતા હતા. એકદા કોટવાળ પકડી રાજાના હુકમથી તેને શૂળીએ ચડાવ્યા. તે વખતે બહુ તૃષાથી પીડિત થયેલા તેણે નજદીકમાં જ જતાં જિનદત્ત શ્રાવકને કહ્યું કે તમે બહુ દયાળુ છે તેથી મને જળ આણી આપ.” ત્યારે તેણે કહ્યું કે “હું જળ લાવી આપું ત્યાં સુધી નમસ્કાર મંત્ર જગ્યા કર.” ચેરે પણ તેમ જ કર્યું. જિનદતના આવ્યા અગાઉ તે ચેર મરણ પામ્યા. એટલામાં જિનદત્ત શ્રાવક જળ લઈને
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy