SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૨૦ ] શ્રી કપૂરવિજયજી ૭. બાહ્યાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એ અવસ્થાભેદે આત્માના ત્રણ પ્રકાર છે. દેહગેહાર્દિક જડ વસ્તુઓને પેાતાની માની લેવારૂપ ભ્રમ તે મહાત્માભાવ જાણવા. ૮. તે સઘળા દેહગેહાર્દિકથી ભિન્ન છતા તે સહુના સાક્ષી-દ્રષ્ટારૂપ થઇ રહેલા અ`તરાત્મા લેખાય છે અને સંપૂર્ણ કમળથી મુક્ત, અતિ નિર્મળ, શુદ્ધ ટિક સમાન પરમાત્મા કહેવાય છે. એ રીતે સક્ષેપથી આત્માના ત્રણ પ્રકાર કહ્યા. ૯. બાહ્યાત્મા આત્મજ્ઞાનહીનહાવાથી સુંદર નરદેહાર્દિક અને ઇન્દ્રિયખળ પામી મનમાં અહંકાર લાવી ફૂલાય છે. આત્મજ્ઞાન વગર તેના સદુપયેાગ કરી શકતા નથી. ૧૦. અંતરાત્મા સમ્યજ્ઞાન જોગે પોતાના શરીરમાં ક્ષીરનીર પેઠે વ્યાપી રહેલા પરમાત્મતત્ત્વને બરાબર પીછાણી શકે છે. [ જે. ધ. પ્ર. પુ. ૪૧, પૃ. ૪૧૯, ] સમતા શતક( ઉ. શ્રી યશેાવિજયકૃત )ના લેશ સાર. ૧. મતિભ્રમ તજી દઇ, સદ્ભિવેકવડે માહ--મમતા છ ડવાથી, આત્માના સહજ સ્વાભાવિક ગુણેા પ્રગટ થઈ શકે છે. ર. જેમ છીપને રૂપું માની મૂર્ખ જીવ તે લેવા જાય છે, તેમ જીવને માહવશ દેહાર્દિક જડ વસ્તુને પેાતાની માની લેવાથી તેમાં મુંઝાવાનું થાય છે. ૩. વસ્તુને વસ્તુગત સમજી લીધા પછી ખાટી વસ્તુમાં મુંઝાવાનું રહેતું નથી.
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy