SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૩ : | [ ૧૬૯ ] ૪. સ્વાર્થને જાતે કરી સામાન્ય હિતકારી કાર્યો કરવા લક્ષ્ય ને ખંત રાખી યથાશક્તિ તન, મન, ધનને ભેગ આપવાથી અધિક કપ્રિય થવાય છે. ૫. જેથી આર્ત–રિદ્રધ્યાન વધે, અને આપણા પરિણામ કઠેર બને તેવાં કારણે સમજી લઈ તેને જરૂર તજવાં. ૬. જેથી લેકમાં અપવાદ થાય, વડીલ જનની ઇતરાજી થાય અને પાપની વૃદ્ધિ થવાથી આપણું દુર્ગતિ થાય તેવાં નબળાં કામ કરવાથી અળગાં જ રહેવું. ૭. આપણી સ્થિતિ ને સંગને લઈ, જે કંઈ આચરણ કરવું જ પડે તેમાં માયાચારીપણું ન જ રાખવું. સરલભાવે જ જે જરૂર કરવું પડે તે કરવું. ૮. ધર્મ–માર્ગને બાધ ન આવે એવું કે હિતકાર્ય કરી દેવા, વડીલ જન વિગેરે તરફથી પ્રેરણું થતાં તેનો અનાદર ન કરે– આદર કરે. ૯. લાજમર્યાદા રાખી, સ્વદેવગુરુધર્મની શોભા વધે તેમ વિવેકથી વર્તવું. ૧૦. દીન-દુઃખી-અનાથ જીવો ઉપર અનુકંપા ને ગુણીજને પ્રત્યે પૂજ્યભાવ રાખવો. દુ:ખી જનેનું દિલ શાન્ત કરવા સાથે તેમનાં દુઃખને જલદી અંત આવે એ ઉત્તમ માર્ગ તેમને પ્રેમપૂર્વક બતાવ-સમજાવો. ૧૧. નબળી વાતમાં માતપિતાદિક, ગમે તે સંબંધીને પક્ષ ન કરે અને સારી વાત, સારાં કામમાં ગમે તેવા વિરોધીને પણ બનતે ટેકે આપ.
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy