SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કરવિજયજી સ્મારક સમિતિ સન્મિત્ર, સગુણાનુરાગી પૂજ્ય મુનિરાજ શ્રી કપૂરવિજયજી જેઓ સં. ૧૯૩ ના આસો વદિ ૮મે દેહમુક્ત થયા તેમની પહેલા વર્ષની પુણ્યતિથિ ઉજવવાને મુંબઈમાં શ્રી જૈન બાળમિત્રમંડલ તથા ખંભાત વીશા પોરવાડ જેન યુવક મંડળના આશ્રય નીચે ગોડીજીના ઉપાશ્રયમાં અનુગાચાર્ય પંન્યાસજી શ્રી પ્રીતિવિજયજી ગણિવરના પ્રમુખપણ નીચે એક સભા સં. ૧૯૪ ના આ વદિ ૮ ના રોજ મળી હતી. તે વખતે શેઠ મોહનલાલ હેમચંદ ઝવેરી તરફથી એમનું નામ કાયમ રાખવાની સૂચના થતાં એમ નિશ્ચય થયે કે “એ પુણ્યપુરુષનું નામ કઈ સંગીન ચીજના કરીને ચિરસ્થાયી કરવું.” પછી શેઠ મેહનલાલ હેમચંદ ઝવેરીએ તેને માટે જે ફંડ થાય તો રૂા. ૧૦૧) ભરવા ઈચ્છા દર્શાવી. તે વાતને પુણ્યાત્મા પૂજ્ય કપૂરવિજયજીના ગુણોથી અતિશય આકર્ષાયેલ ચિત્તવાળા પંન્યાસજી પ્રીતિવિજયજીએ ટેકો આપે અને પિતાથી બની શકતી દરેક જાતની સહાય આપવા તત્પરતા બતાવી. તે મીટિંગમાં શેઠ મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ, મોહનલાલ દીપચંદ ચોકસી, રાજપાળ મગનલાલ વહોરા, નરોત્તમદાસ ભગવાનદાસ શાહ તથા વાડીલાલ જેઠાલાલ શાહે સમયોચિત ભાષણ કર્યા; તેથી પંન્યાસજી બહુ પ્રસન્ન થયા અને પિતાથી બની શકે તે રીતે શ્રાવક પર આગ્રહપૂર્વક લાગવગ ચલાવી, એને પરિણામે સારી રકમ ભરાણી. સમિતિનું કામ નાણું ભરનારા સભ્યોની મીટિંગમાં નીમાએલી વ્યવસ્થાપક સમિતિ કરે છે. તેમાં નીચેના ગૃહસ્થ છે. ૧ મેતીચંદગિરધરલાલ કાપડીઆ ૪ વાડીલાલ જેઠાલાલ શાહ. ૨ વાડીલાલ ચતુર્ભુજ ગાંધી. ૫ હીરાભાઈ રામચંદ મલબારી. ૩ મેહનલાલ દીપચંદ ચોકસી. ૬ નરોત્તમદાસ ભગવાનદાસ શાહ ૭ રાજપાળ મગનલાલ વહેારા
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy