SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૬ ] શ્રી કપૂરવિજયજી સદગુરુદ્વારા અવિનમ્રતાપૂર્વક શ્રી આત આગમનું રહસ્ય જાણી–ધારી તેને પ્રમાદ રહિત સ્વહિતાર્થે જરૂર આદર–ખપ કરે, જેથી સ્વલ્પ કાળમાં મુક્તિ સહજ પ્રાપ્ત થાય. [ જે. ધ. પ્ર. પુ. ૧૯, પૃ. ૧૨૭] આત્મહિતશિક્ષા. અહો ! સ્વભાવ–સ્વરૂપ(આત્મ)રમણ જે લાભ-રસસુખભર બીજે કયાંય નથી, એમ અનેક સહજ સમાધિ સંપન્ન સુગુણરત્નાકર મુનિસિંહોએ સારી રીતે અનુભવી પ્રકાશ્ય છેપ્રરૂપ્યું છે તે તે સુખના કામી-અથી જીએ અવશ્ય સાંભળી, વાંચી, વિચારી અમલમાં મૂક્યા-ખાસ અનુભવવા યોગ્ય છે. બહિરાત્મભાવ ( સર્વ સંગિક વસ્તુઓને વિષે મમત્વભાવ) તજી અંતરાત્મભાવ–સ્વપર (ગુણદોષ, હિત–અહિતના સભ્ય વિચારરૂપ) વિવેક ધારી, વિભાવ (આત્મવ્યતિરિક્ત વસ્તુમાં મનાતું પિતાપણું) વારી, સ્વભાવ (આત્મ દ્રવ્ય ગુણ–વસ્તુ તત્ત્વ) પામવા-ધારવા, પરમાત્મા( સર્વગુણસંપન્ન અનંત જ્ઞાનાદિ ગુણશાળી)ના સ્વરૂપમાં લીન થવા અનંત શક્તિ સહિત શ્રી પરમાત્મા-આસમુખ્યની આજ્ઞા મુજબ ચાલવા ખપ કરો આવા અથી જીવને ખાસ જરૂર છે. આ મહાભારત કામ પ્રમાદશીલ છથી બની શકે તેવું નહિ હોવાથી તે સાધવા અપ્રમત્તતા ધારવી તે ખાસ જરૂરની છે. પરમ ઉપકારી શ્રી વીતરાગવચનાનુસારીપણું–પરમ આસવચનનું અખંડ આરાધન, પ્રાણત્યાગે પણ તેનું અખંડપણે
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy