SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ પ૩ ]. કષાય વગરની શાન્તવૃત્તિ સદા-સર્વદા હિતકારી જ છે, એવી શાન્ત વૃત્તિનું સેવન કરવા સમાન બીજું સુખ નથી, એમ સમજી હે સુજ્ઞ જન ! તમે જરૂર શાન્તવૃત્તિ સે. એવી શાન્ત–ઉપશાન્ત–પ્રશાન્ત વૃત્તિ વગર જે કંઈ તપ, જપ, પ્રભુપૂજાદિક કરણું કરવામાં આવે છે તે બરાબર લેખે થતી નથી, પરંતુ જે તે સઘળી કરણી સમતા રાખીને સ્થિર ચિત્તથી કરવામાં આવે છે તે સફળ થઈ શકે છે. સ્થિર-શાન્ત ચિત્તથી કરવામાં આવતી કરણીમાં કેઈ અપૂર્વ રસ, લહેજત યા મીઠાશ હોય છે. સમતારસમાં લીન ચિત્તવાળાને કશું દુઃખ સ્પશી શકતું નથી. સમતા રસમાં નિમગ્ન ચિત્તવંતને સર્વત્ર ગામ અને અરણ્ય તેમ જ દિવસ અને રાત સમાન લાગે છે. જ્યારે નાના પ્રકારના રાગ, દ્વેષ અને મહવશ ઉપજતા વિકલ્પ શમી જાય છે અને સઘળે વિભાવ યા પરભાવ તજીને સહજ સ્વરૂપને અવલંબી રહેવાય છે એવું પરિપકવ જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે જ ચેતન ખરો શમવંત યા સમતાવંત થયેલ લેખાય છે. કર્મની વિચિત્રતાથી થતી અવસ્થાની વિચિત્રતા તરફ દુર્લક્ષ કરી શુદ્ધ સ્વરૂપના લક્ષથી સહ પ્રાણુંવર્ગને સમાન લેખનાર સમતાવંતનું જ ખરેખર શ્રેય થાય છે. ' ઉપશમ જનિત આવી આત્મલીલા યા સહજ સુખસમૃદ્ધિ જે મહાનુભાવ મુનિજનોને પ્રાપ્ત થઈ છે તેમની પાસે સુરપતિ, અસુરપતિ કે નરપતિનું પિગલિક સુખ શા હિસાબમાં છે ? તે સઘળાં સુખ કરતાં નિરાગી અને નિ:સ્પૃહી એવા શમસામ્રાજ્યવંત મહામુનિઓનું સુખ ખરેખર અલોકિક જ છે; કેમકે એ બધાં ઉપર જણાવેલાં ઈન્દ્રાદિકનાં સુખ સંગિક હોવાથી અવશ્ય
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy