SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૨૫ ] જીવને પૂર્વ પુન્યજોગે સુંદર–મને હર–મજબૂત–નિરોગી દેહ મળી શકે છે, જેને દેખી અન્ય જને ચકિત થઈ જાય છે, તેમજ તેમાં મહિત બની જાય છે; વળી પુજગે વિશાળ લક્ષ્મીને સંજોગ થઈ શકે છે, જેને દેખી લોકો તેને કુબેર ભંડારી પ્રમુખનાં ઉપનામ આપે છે તેમજ પુજેણે જીવને મનમાનતી હોટી ઠકુરાઈ, મહેટા માનવંતા હાદા, ખિતાબ વિગેરે એનાયત થાય છે, જે દેખી કે તેની મુક્તક ઠે પ્રશંસા કરે છે. આ બધું પૂર્વપુજગે જીવને પ્રાપ્ત થવું સુલભ છે. દુર્લભ કેવળ જીવને સાચું-સમ્યગજ્ઞાન જ છે. વિનયબહુમાન સહિત સલ્લુની સેવાભકિત કરતાં ભવ્ય જીવને સાચું તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. તેનાં ફળ અલૌકિક કહ્યાં છે અને તેથી જ એવા અમૂલ્ય જ્ઞાન માટે યત્ન કરવો જરૂરી છે. સદ્ગુરુની સાચા દિલથી વિનય–બહુમાન સહિત સેવા-ભક્તિ કરતાં તેમની કૃપાથી સહેજે સત્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે, એટલે જીવન ઉપર આવી રહેલાં કર્મનાં આવરણ ઓછાં થતાં જાય છે અને એથી અંતરમાં જ્ઞાન ઉજાશ–પ્રકાશ થતો જાય છે, જેથી જીવને સત્યાસત્ય, હિતાહિત, કૃત્યાકૃત્ય, લાભાલાભ, ભક્ષ્યાભઢ્ય, પિયારેય અને ગુણદોષનું ખરું ભાન થઈ શકે છે. આનું છેવટ પરિણામ એ આવે છે કે જીવને સત્ય-હિત માર્ગ તરફ રુચિ-પ્રીતિ વધતી જાય છે અને અસત્ય-અહિત માર્ગ તરફની રુચિ ઘટતી જાય છે. આ રીતે અનુક્રમે વધતા જતા વિવેક–અભ્યાસવડે જીવને ચિંતામણિ રત્ન સરખા અમૂલ્ય સમકિત રત્નની પ્રાપ્તિ થઈ શકે છે. જેમ એકડા ઉપર કરેલાં સઘળા મીંડાં સાર્થક થાય છે
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy