SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૨૩ ] બતાવેલાં માર્ગાનુસારીપણાના પાંત્રીશ ગુણનું કંઈક વિસ્તારથી વર્ણન હિતેપદેશ પ્રથમ ભાગમાં અને એક ગુણનું વર્ણન હિતેપદેશ બીજા ભાગમાં આપેલું છે ત્યાંથી તે કાળજી રાખી જોઈ લેવું અને તેને પરમાર્થ સમજી બનતાં સુધી પોતાનું વર્તન સુધારી લેવા સુજ્ઞ ભાઈ–બહેનેએ પ્રયત્ન કરે. આપણા પોતાના હિત માટે જ્ઞાની પુરુષોએ આપેલી અમૂલ્ય શિખામણનો આપણાથી બની શકે ત્યાં સુધી આદર કરવાથી જ આપણું શ્રેય સારી રીતે સધાય છે એ કદાપિ પણ ભૂલી જવું નહિં. ઉપર જણાવેલા માર્ગાનુસારીપણાના પાંત્રીશ ગુણે અથવા ધર્મરત્નની યેગ્યતા માટે કહેલા એકવીશ ગુણને સારી રીતે અભ્યાસ–મહાવરો રાખવાથી અનુક્રમે સમકિત પ્રમુખ ધર્મરત્નની પ્રાપ્તિ થઈ શકે છે. તેનો પ્રભાવ અતિ અદ્દભુત છે. જેમ ચન્દ્રમાની વધતી કળાના ગે સમુદ્રની વેળા (ભરતી) વૃદ્ધિ પામે છે તેમ અધિક ધર્મ આચરણના ગે સર્વ સુખસંપદા સહેજે સંપજે છે. પવિત્ર ધર્મ આચરણ પ્રમાદ રહિત કરી લેવું એ જ આ મનુષ્ય જન્મ પામ્યાનું મુખ્ય કર્તવ્ય સમજીને હે ભવિજને ! સકળ સુખના ભંડાર સમાન સર્વજ્ઞભાષિત ધર્મનું તમે અતિ આદરથી સેવન કરે ! જ્યાંસુધી જરા-વૃદ્ધાવસ્થા આવી પહોંચી નથી, વિવિધ વ્યાધિઓ પ્રગટ થઈ નથી અને ઇન્દ્રિયબળ ઘટતું નથી, ત્યાં સુધી ધર્મસાધન જલદી કરી ! નહિ તો પછી પસ્તાશે અને કરી શકશે નહિ. આ શરીરને કાંઈ ભરોસે નથી. જોતજોતામાં પાણીના પરપોટાની જેમ તે હતું ન હતું થઈ જશે, માટે ચેતવું હોય તો જલદી ચેતી ત્ય, તત્તાતત્ત્વ, હિતાહિત કૃત્યાકૃત્ય
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy